________________
ગલેને નિ:શ્વાસરૂપમાં ત્યાગે છે, તેથી જ તેઓ સમાન આહારવાળ, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા નથી હોતા. એજ પ્રકારે કઈ કઈ અસુરકુમાર મહાકાય હોય છે, કઈ કે લઘુકાય હોય છે. જે મહાકાય છે તેઓ ઘણુ પુદ્ગણોનો આહાર કરે છે, અને ઘણા પુદ્ગલેને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અને નિઃશ્વાસના રૂપમાં ત્યાગે છે. તથા જે અસુરકુમાર લઘુકાય છે તેઓ અલપતર પુદ્ગલેને આહાર કરે છે, અલપતર પુલને ઉચ્છવાસ રૂપમાં ગ્રહણ કરે છે, અલપતર પુદ્ગલેને નિઃશ્વાસરૂપમાં ત્યાગે છે. તેથી જ તેઓ પણ સમાન આહારવાળા નથી હોતા. સમાન ઉચ્છવાસવાળા-નિઃશ્વાસવાળા પણ નથી હોતા.
અહીં એ સમજી લેવું જોઈએ કે અસુરકુમારનું અધિકથી અધિક મોટું શરીર સાત હાથનું હોય છે. ભવધારણીય શરીરની અપેક્ષાએ આ પ્રમાણ છે. જઘન્ય પ્રમાણ આંગળને અસંખ્યાત ભાગ જાણવું જોઈએ. ઉત્તર ક્રિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ એક લાખ
જન અને જઘન્ય આંગળના અસંખ્યાતમા ભાગનું તેમના શરીરનું પ્રમાણ હોય છે. એ પ્રકારે જે અસુરકુમાર જેટલા મોટા શરીરવાળા હોય છે તે છે તેટલા અધિક પુદ્ગલેને આહારના રૂપમાં ગ્રહણ કરે છે અને જે જેટલા લઘુ શરીરવાળા છે, તેઓ તેટલાજ ઓછા પુદ્ગલેને ગ્રહણ કરે છે, ઈત્યાદિ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું બધા અસુરકુમાર સમાન કર્મવાળા હોય છે ? શ્રી ભગવાન હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એમ કહેવાય છે કે બધા અસુરકુમાર સમાન કર્મવાળા નથી હોતાં?
શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર બે પ્રકારના હોય છે-પૂર્વોત્પન અર્થાત પહેલા પિદા થનારા અને પશ્ચાદુત્પન્ન અર્થાતુ પછીથી ઉત્પન્ન થનારા. તેમના વિષયમાં નારકોની અપેક્ષાએ વિપરીત પ્રતિપાદન કરાય છે-કહેલા બન્ને પ્રકારના અસુરકુમારોમાં જે પૂત્પન્ન છે, તેઓ મહાકર્મવાળા હોય છે અને જે પશ્ચાદુત્પન્ન છે અર્થાત્ પાછળથી પેદા થયેલ છે, તેઓ અલ્પકર્મવાળા હોય છે.
શંકા-નારકોના વિષયમાં કહ્યું હતુ કે જે નારક પૂત્પન્ન હોય છે તેઓ અલ્પકમાં હોય છે અને જે પશ્ચાત ઉત્પન્ન છે તેઓ મહાક હોય છે, પરંતુ અસુરકુમાર જે પૂર્વે ત્પન્ન હોય છે, તેઓને મહાકર્મા કહેલ છે અને જે પશ્ચાત્પન છે તેઓને અલ્પકમાં કહેલ છે, આ વિષમતાનું શું કારણ છે?
તેનું સમાધાન-અસુરકુમાર પિતાના ભવને ત્યાગ કરીને અગરત તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્ય યોનિમાં, તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થનારાઓમાંથી કઈ કઈ પૃથ્વીકાય, અષ્કાય, અગર વનસ્પતિકાયમાં પણ ઉત્પન્ન થાય છે, કઈ પંચેન્દ્રિય તિયામાં પણ ઉત્પન્ન થાય છે અને જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તેઓ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, અકર્મ ભૂમિમાં અને સંમૂર્ણિમ મનુષ્યમાં ઉત્પન્ન નથી થતાં. ત્યાં આગળ છ મહીનાનું આયુ શેષ રહે ત્યારે પરભવ સંબંધી આયનું બન્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૨