SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ વિપાકની પ્રકૃતિ છે, તેથી જ પુર્વોત્પન્ન નારક વિશુદ્ધતર વર્ણવાળા હોય છે. નારકમાં જે પશ્ચાત્ ઉત્પન્ન નારક છે. તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે. કેમકે તેમના અશુભ નામ કર્મના અશુભ તીવ્ર અનુભાગ કે જે ભવનુકારણ હોય છે. તેને ઘણે ભાગ નિર્ણ નથી હોતે, પણ થોડા ભાગની જ નિર્જરા થઈ હોય છે. એ કારણે પછીથી ઉત્પન્ન નારક અવિશુદ્ધતર વર્ણવાળા હોય છે. આ કથન જ સમાન સ્થિતિવાળા નારકની અપેક્ષાથી જ સમજવું જોઈએ. નહીં તે પૂર્વોક્ત આપત્તિ અહીં પણ આવશે હવે પ્રકૃતિને ઉપસંહાર કરે છે–હે ગૌતમ ! આ હેતુથી એમ કહેવાય છે કે બધા નારકે સમાન વર્ણવાળા નથી દેતા. જેમ વર્ણની અપેક્ષાએ નારકોને વિશુદ્ધતર અને અવિશુદ્ધતર કહ્યાં છે. તેમજ લેશ્યાની અપેક્ષાએ પણ કહી લેવું જોઈએ. તેને અભિલાપ આ રીતે થશે-ભગવન શું બધા નારક સમાન વેશ્યાવાળા હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તેનું કારણ એ છે કે પૂર્વોત્પન્ન નારક વિશુદ્ધતર લેશ્યાવાળા હોય છે. કેમકે તેઓ પ્રશસ્ત લેશ્યા દ્રવ્યના ઘણા ભાગને પુનઃ પુનઃ અનુભવ કરીને નિર્ણ કરી દે છે. એ કારણે તેઓ વિશુદ્ધતર વેશ્યાવાળા હોય છે, કેમકે તેમના અપ્રશસ્ત લેશ્યા દ્રવ્યની અલ્પ માત્રામાં નિર્જરા નઈ જાય છે. તેમને ઘણા બધા અપ્રશસ્ત વેશ્યા દ્રવ્ય શેષ રહી જાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શું બધા નારક સમાન વેદનાવાળા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ આ અર્થ સમર્થ નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે બધા નારક સમાન વેદનાવાળા નથી લેતા? શ્રી ભગવાન હે ગૌતમ ! નારક બે પ્રકારના કહેલાં છે–સંજ્ઞભૂત અને અસંગ્નિભૂત જે જીવ પહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય હતા અને ફરીને નરકમાં ઉત્પન થયેલ છે. તેઓ સંજ્ઞિભૂત નારક કહેવાય છે અને જે તેમનાથી વિપરીત હોય તેઓ અસંફિભૂત કહેવાય છે. આ બન્ને પ્રકારના નારકમાં જે નારક સંણિભૂત હોય છે, તેઓ અપેક્ષા કૃત મહાન વેદનાવાળા હોય છે. કેમકે જે સંસી હતા, તેઓએ ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાયના દ્વારા અત્યન્ત અશુભ કર્મોને અન્ય કર્યો છે અને તેઓ મહાન નરકમાં ઉત્પન્ન થયેલ છે. તેનાથી વિપરીત જે નારક અસંજ્ઞિભૂત છે, તેઓ અલ્પતર વેદનાવાળા હોય છે. અસંજ્ઞા જીવ નારક, તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિમાંથી કેઈપણ ગતિનું બન્ધન કરી શકે છે, તેથી જ તેઓ નરકાયુને બન્ધ કરીને નરકમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ અતિતીવ્ર અધ્યવસાય ન હોવાના કારણે રત્નપ્રભાપૃથ્વીમાં, અતિતીવેદના જેમાં ન હોય એવા નરકમાં જ ઉત્પન્ન થાય છે, તેમની સ્થિતિ પણ અલ્પ હોય છે. એ કારણે તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy