SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યાવસિત ભૂતકાળમાં ક્યારેય ભાષક પર્યાય પ્રાપ્ત કરેલ હોય અને ભવિષ્યમાં પણ કરી શકે નહીં તે અનાદિ અપર્યાવસિત આભાષક કહેવાય છે. તથા જેણે ભૂતકાળમાં ભાષક પર્યાય પ્રાપ્ત કરેલ ન હોય પણ ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકે તે અનાદિ સપર્યવસિત અભાષક કહેવાય છે. જે ભાષક થઈને પછી અભાષક થઈ ગયેલ છે, તે સાદિ સપર્યવસિત અભાષક કહેવાય છે. આ ત્રણ પ્રકારના અભાષકે માંથી જે સાદિસાત અશાષક છે. જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી અભાષક રહે છે. વનસપતિકાળ કાળની અપેક્ષાએ અનન ઉત્સર્પિણી તેમજ અવસર્પિણ કહેલ છે અને ક્ષેવથી અનન્તલેક અર્થાત્ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પરિમાણ કહેલ છે, તે પુદ્ગલ પરાવર્તન પણ આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. એ પ્રકારે સાદિ સપર્યપસિત અભાષક નિરન્તર અભાષક પર્યાયથી યુક્ત જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી રહે છે, પછી ભાષક બની જાય છે અને પાછા અભાષક થઈ જાય છે. અથવા કીન્દ્રિય આદિ ભાષક જીવ એકેન્દ્રિય અભષકમાં ઉત્પન્ન થઈને અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી જીવિત રહીને પછી શ્રીન્દ્રિયાદિ ભાષક રૂપમાં ઉત્પન્ન થાય છે. તે સમયે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અભાષક રહે છે. ઉત્કૃષ્ટ પૂર્વોક્ત અનન્તકાળ અર્થાત વનસપતિકાળ સુધી નિરન્તર અભાષક બની રહે છે. (દ્વાર ૧૫) ભાષકદ્વાર પછી પરતદ્વારની પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! પરીત જીવ કેટલા કાળ સુધી નિરન્તર પરતપર્યાયથી યુક્ત બની રહે છે? શ્રી ભગવાન હે ગૌતમ ! પરીત જીવ બે પ્રકારના હોય છે તેઓ આ પ્રકારેન્કાયપરીત અને સંસાર રીત પ્રત્યેક શરીરી જીવ કાયપરીત કહેવાય છે અને જેણે સમ્યત્વ આદિ પ્રાપ્ત કરીને પિતાના ભવભમણને પરિમિત કરી લીધેલ છે તે સંસારપરીત કહેવાય છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કાયપરીત અર્થાત પ્રત્યેક શરીરી જીવ કેટલા કાળ સુધી કાયપરીત પર્યાયવાળા બની રહે છે? - શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળપૃથ્વીકાલ સમજ જોઈએ. કેઈ જીવ નિગદથી નિકળીને પ્રત્યેક શરીર રૂપમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં અન્તર્મુહૂર્ત સુધી જીવીત રહીને પછી નિગોદમાં ઉત્પન્ન થઈ જાય છે, તે સમયે અન્ત સુધી જ કાયપરીત રહે છે. તેથી જ અહીં કાયપરીત પર્યાયનું જઘન્ય અવસ્થાન અન્તર્મુહૂર્તનું કહ્યું છે. ઉત્કૃષ્ટ રૂપથી કાયપરીત અસંખ્યાતકાળ સુધી કાયપરીત અવસ્થામાં નિરન્તર રહે છે. અહીં અસંખ્યાત કાળ પૃથ્વીકાયની કાલ સ્થિતિના કાળ જેટલે જાણવું જોઈએ. એ પ્રકારે અસંખ્યાતકાળનું સ્પષ્ટીકરણ કરે છે--અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી એટલે પૃવીકાળ અહીં અસંખ્યાતકાળ વિવાહિત યાતઅસંખ્યાતલેક છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૬૩
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy