SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ તે બે અગર ત્રણ સમયની હોય છે, ચાર અગર પાંચ સમયની નથી હતી. અહીં ચાર અને પાંચ સમયની વિગ્રહગતિ વિક્ષિત નથી. તેથી જ જ્યારે ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે ત્યારે જીવ આદિના બે સમય સુધી અનાહારક રહે છે, તેથી આહારકત્વની પ્રરૂપણામાં એ બન્ને સમયેથી ન્યૂન ક્ષુદ્દભવ ગ્રહણનું કથન કરાયેલું છે. ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી આહારક રહે છે, તત્પશ્ચાત નિયમથી વિગ્રહ ગતિ થાય છે અને વિગ્રહગતિમાં અનાહારક પર્યાય થઈ જાય છે. એ કારણે અહીં અનન્તકાળ કહેલ નથી હવે તે અસંખ્યાતકાળને કાલ અને ક્ષેત્રની અપેક્ષાથી સ્પષ્ટ કરે છે–તે અસંખ્યાતકાળ કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી રૂપ જાણવું જોઈએ અને ક્ષેત્રની અપેક્ષાએ આંગળના અસંખ્યાતમો ભાગ સમજે જેઈએ. આંગળના અસંખ્યાતમા ભાગનું સ્પષ્ટીકરણ પહેલા કરાયેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કેવલી આહારક કેટલા કાળ સુધી નિરન્તર કેવલી આહારક રહે છે? શ્રી ભગવાન -- હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ દેશોન કટિપૂર્વ સુધી કેવલી આહારક નિરન્તર કેવલી આહારક રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અનાહારક જીવ કેટલા કાળ સુધી નિરન્તર અનાહારક પણામાં રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ દેશન કટિપૂર્વ સુધી કેવલી આહારક નિરન્તર કેવલી આહારક રહે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અનાહારક જીવ કેટલા કાળ સુધી નિરન્તર અનાહારક પણામાં રહે છે ? શ્રી ભગવાન-હે ગૌતમ! અનહારક બે પ્રકારના કહ્યા છે, જેમકે-છમરથ અનાહારક અને કેવલી અનાહારક. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! છઘુમરથ અનાહારક નિરન્તર કેટલા સમય સુધી સુધી છદ્મસ્થ અનાહારક પણામાં રહે છે? જ શ્રી ભગવાન – ગૌતમ જઘન્ય એક સમય સુધી, અને ઉત્કૃષ્ટ એ સમય સુધી છત્મસ્થ અનાહારક જીવ છદ્મસ્થ અનાહારક પણામાં રહે છે. અહીં ત્રણ સમયવાળી વિગ્રહગતિની અપેક્ષાથી ઉત્કૃષ્ટ સમય સુધીનું કથન કરાયેલું છે. ચાર સમય અને પાંચ સમયવાળી વિગ્રહગતિ અહીં વિવક્ષિત નથી, એ પહેલા જ કહી દિધેલું છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કેવલી અનાહારક કેટલા સમય સુધી કેવલી અનાહારક પણામાં રહે છે? શ્રી ભગવાન-ગૌતમ ! કેવલી અનાહારક બે પ્રકારના કહેલા છે, જેમકે સિદ્ધ કેવલી અનાહારક, અને ભવસ્થ કેવલી અનાહારક. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ કેવલી અનાહારક કેટલા સમય સુધી સિદ્ધ કેવલી અનાહારક, પણત્માં રહે છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૯
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy