________________
ક્ષા એ કહેવાય તે અસંખ્યાતલેક-અર્થાત અસંખ્યાતકોમાં જેટલે પ્રદેશ થાય છે, તેમને એક–એક સમયમાં એક–એક કરીને અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણી–અવસર્પિણી વ્યતીત થાય, તેટલે અસંખ્યાતકાળ અહીં સમજવું જોઈએ. આહીં પણ સૂક્ષ્મ વનસ્પતિકાયની વક્તવ્યતા પહેલાની જેમ વ્યવહાર રાશિના સમ્બન્ધમાં સમજવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! અપર્યાપ્તક જીવ કેટલા કાળ સુધી સૂક્ષ્મ અપર્યાપ્તક પર્યાયવાળો રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સૂક્ષ્મ અપર્યાપ્તક જીવ સૂક્ષ્મ અપર્યાપ્તક પર્યાયમાં નિરન્તર બની રહે છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિક અને નિગદ અપર્યાપ્ત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી જ પિતાપિતાના પર્યાયમાં રહે છે. પર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયકાયિક અને વનસ્પતિકાયિક, જેનું કથન પણ એવું જ જાણવું જોઈએ. તેઓ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂત સુધી નિરન્તર પોતાના પર્યાયમાં રહે છે, તેથી તેમનું કથન એઘિકના સમાન જ સમજી લેવું જોઈએ. એ પ્રકારે સૂફમ સામાન્ય રૂપથી પૃથ્વીકાયિક આદિ વિશેષણથી વિશિષ્ટ પર્યાપ્ત અને અપર્યાપ્ત નિરન્તર જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે, તેનાથી અધિક નહીં એ અભિપ્રાયથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્તા કહ્યું છે.
શ્રી ગૌતમસ્વામીહે ભગવન ! બાદર છવ કેટલા કાળ સુધી બાદર પર્યાયવાળા રહે છે?
શ્રી ભગવાન છે ગૌતમ ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી, તે અસંખ્યાતકાળ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણું–અવસર્પિણી પર્વતને સમજે જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અંગુલને અસંખ્યાત ભાગ જાણવું જોઈએ, અર્થાત્ અંગુલના અસં.
ખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય છે, તેમનું એક-એકસમયમાં એક–એકના હિસાબે અપહરણ કરવાથી જેટલી ઉત્સર્પિણ-અવસર્પિણ વ્યતીત થાય છે, તેટલી ઉત્સર્પિણી અવસર્પિણ અહીં જાણવી જોઈએ. પ્રશ્ન થાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સ્વલ્પ ક્ષેત્રના પરમાણુઓનું અપહરણ કરવામાં અસંખ્યાત ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી કાળ કેવા પ્રકારે વ્યતીત થઈ શકે છે?
આ પ્રશનનું સમાધાન એ છે કે ક્ષેત્ર, કાળની અપેક્ષા ઘણું જ સૂમ હોવાથી એવું થઈ શકે છે. કહ્યું પણ છે-કાળ સૂમ હોય છે પરંતુ ક્ષેત્ર એનાથી પણ અધિક સૂક્ષ્મ હોય છેઆ કથન બાર વનસ્પતિકાયની અપેક્ષાથી છે, કેમકે બાદર વનસ્પતિકાયથી અતિરિક્ત અન્યમાં એટલા કાળની સ્થિતિને સંભવ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! બાદરપૃથ્વીકાયિક, બાદરપૃથ્વીકાયિક પર્યાયવાળા કેટલા કાળ સુધી નિરતર રહે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩૨