________________
અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! કદાચિત્ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, કદાચિત અસંખ્યાતપ્રદેશમાં અવગાઢ થાય છે પણ અનન્ત પ્રદેશમાં અવગાઢ નથી થતા. કેમકે અસંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાનનું સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશમાં અવગાહ થવો તે વિરૂદ્ધ નથી, પણ અનન્ત પ્રદેશમાં અવગાહ થ વિરૂદ્ધ છે, એજ પ્રકારે આયત પર્યન્ત બધા અસંખ્યાત પ્રદેશી સંસ્થાના વિષયમાં સમજી જવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવાન્ ! અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે અગર અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે અથવા અનન્ત પ્રદેશમાં અવગાઢ થાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! કદાચિત સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, કદાચિત અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે પણ અનન્ત પ્રદેશમાં અવગાઢ નથી થતા. અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન પણ વિરોધના કારણે અનઃ આકાશ પ્રદેશમાં અવગાઢ નથી થઈ શકતા, કેમકે સમગ્ર કાકાશના પણ પ્રદેશ અસંખ્યાત જ છે અને લેકાકાશના બહાર પુગલેની ગતિ અગર સ્થિતિ થઈ શકતી નથી. તેથી અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાન અગરતે સંખ્યાત પ્રદેશમાં અવગાહન કરે છે, અગર અસંખ્યાત પ્રદેશમાં. અનન્ત પ્રદેશોમાં તેનું અવગાહન સંભવિત નથી. અનન્ત પ્રદેશી પરિમંડલ સંસ્થાનના સમાન જ વૃત્ત, સ્વસ્ત્ર, ચતુરસ, અને આયત સંસ્થાન પણ સમજી લેવું જોઈએ, અર્થાત અનન્ત પ્રદેશી વ્યસ્ત્ર આદિ સંસ્થાન પણ સંખ્યાત અગર અસ ખ્યાત આકાશ પ્રદેશમાં અવગાહન કરે છે, અનત પ્રદેશોમાં નહીં.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન સંખ્યાત પ્રદેશી તથા આકાશ પ્રદેશોમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન શું ચરમ કહેવાય છે અચરમ કહેવાય છે? શું ચરમણિ કહેવાય છે? શું અચરમાણિ કહેવાય છે ? અથવા શું ચરમાન્ત પ્રદેશ કહેવાય છે ? અગરતે અચરમાન્ત પ્રદેશ કહેવાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! સંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પરિમંડલ સંસ્થાન ચરમ નથી કહેવાતા અચરમ પણ નથી કહેવાતા, ચરમાણિ પણ નથી કહેવાતાં અચરમાણિ પણ નથી કહેવાતા, નથી ચરમાન્ત પ્રદેશ કહેવાતે અને નથી અચરમાન્ત પ્રદેશ કહેવાતે રત્નપ્રભા પૃથ્વીના સમાન નિયમથી અચરમ અને ચરમાણિ કહેવાય છે, કેમકે અનેક અવયવ અવિભાગાત્મક રૂપમાં એની વિવક્ષા કરેલી છે. અગર પ્રદેશની વિવક્ષા કરાયતે ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ કહેવાય છે. આયત સંસ્થાન સુધી એજ પ્રકારે સમજી લેવું જોઈએ અર્થાત્ સંખ્યાત પ્રદેશ તેમજ સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩