SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ– અનાથી પૂર્વ ક્રિપ્રદેશ આદિ કન્વેના ચરમ અચરમ આદિની વક્તવ્યતાનું નિરૂપણ કરાયું છે, કિન્તુ જે કોઈ પણ સ્કન્ય હોય છે, તેઓ પરિમંડલ, વૃત્ત આદિમાંથી કઈ ને કઈ સંસ્થાનના ધારક હોય છે, એ કારણે અહીં સંસ્થાની વક્તવ્યતાનું પ્રરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન સંસ્થાન કેટલા કહ્યા છે, શ્રી ભગવાન -હે ગૌતમ ! સંસ્થાન પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે–(૧) પરિમંડલ (ગેળાકાર) (૨) વૃત્ત-વલ (૩) વ્યસ્ત્ર-ત્રિકેણ ૪) ચતુરસ, અને આયતદીર્ઘ (લાંબુ) શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત છે, અસંખ્યાત છે અથવા અનન્ત છે? શ્રી ભગવાન હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન સંખ્યા નથી અને અસંખ્યાત પણ નથી પરંતુ અનન્ત છે. એ પ્રમાણે વૃત્ત, ત્રિકેણ, ચતુષ્કણ અને આયત સંસ્થાના સંબંધમાં સમજી લેવું જોઈએ. તેઓ પણ સંખ્યાત અગર અસંખ્યાત નથી કિન્તુ અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશ છે અથવા અસંખ્યાત પ્રદેશ છે અથવા અનન્ત પ્રદેશ છે? શ્રી ભગવાન્ –હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન કદાચિત્ સંખ્યાત પ્રદેશી, કદાચિત્ અસંખ્યાત પ્રદેશ અને કદાચિત્ અનન્ત પ્રદેશી હોય છે. આયત સંસ્થાન સુધી પ્રત્યેક સંસ્થાન એજ પ્રકારે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! જે પરિમંડલ સંસ્થાન સંખ્યાત પ્રદેશી છે, તે શું આકાશના સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? શું અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે? અથવા અનન્ત પ્રદેશોમાં અવગાઢ થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાન સંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. અસંખ્યાત પ્રદેશમાં અથવા અનન્ત પ્રદેશોમાં અવગઢ નથી થતા. કેમકે સંખ્યાત પ્રદેશી પરિમંડલ સંસ્થાનના પ્રદેશ સંખ્યાત જ હોય છે. તેથી જ અસંખ્યાત અથવા અનન્ત પ્રદેશમાં તેમને અવગાહ કે સંભવિત નથી એ જ પ્રકારે આયત સંસ્થાન સુધી બધાના વિષયમાં સમજવું જોઈએ. અર્થાત્ સંખ્યાત પ્રદેશી વૃત્ત સંસ્થાન, વ્યસસંસ્થાન, ચતુરસ સંસ્થાન અને આયત સંસ્થાન પણ સંખ્યાત આકાશ પ્રદેશમાં જ અવગાઢ થાય છે, અસંખ્યાત અથવા અનન્ત પ્રદેશમાં નહીં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! અસંખ્યાત પ્રદેશ પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે અથવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy