________________
નથી, કેમકે તે દ્રવ્યની અપેક્ષાએ એક અને અખંડ રૂપ છે. તેને ચરમ નથી કહી શકાતી, કેમકે ચરમ– સાપેક્ષ છે અર્થાત્ કોઈ તેના પહેલા હોય તે તેને તેની અપેક્ષાએ ચરમ કહેવાય. પણ કઈ એવા બીજા છે નહિ, કેમકે રત્નપ્રભા પૃથ્વી એક અને અખંડ છે. હે ગૌતમ ! તમે તે અન્ય નિરપેક્ષ એકલી રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં જ પ્રશ્ન કર્યો છે, તેથી જ તેને ચરમ નથી કહી શકતા, રત્નપ્રભા પૃથ્વી પૂર્વોક્ત યુક્તિના અનુસાર ચરમ પણ નથી કહેવાર્તા. અર્થાત્ અચરત્વ (મધ્યવતીપણુ) પણ કઈ બીજાની અપેક્ષાએ થાય છે અહીં કોઈ બીજું છે નહિ કે જેની અપેક્ષાએ રત્નપ્રભાને અચરમ કહેવાય. એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વો નથી ચરમ કહેવાતી કે નથી કહેવાતી અચરમ.
હવે રહ્યા બહુવચન કરેલા બે પ્રશ્નો-ચરમાણિ અને અચરમાણિ. એનું તાત્પર્ય એ છે કે શું રત્નપ્રભા પૃથ્વી અનેક ચરમ રૂપ છે અથવા અનેક અચરમ રૂપ? એને ઉત્તર એ છે કે રત્નપ્રભા પૃથ્વી ના અનેક ચરમ છે અને ન અનેક અચરમ છે. કેમકે પહેલા કહ્યા અનુસાર જ્યારે રત્નપ્રભા પૃથ્વી એકત્વ વિશિષ્ટ ચરમ અને અચરમ નથી તે બહત્વ વિશિષ્ટ ચરમ-અચરમ પણ કેવી રીતે થઈ શકે છે? તાત્પર્ય એ નિકળ્યું કે ૨નપ્રભા પૃથ્વી નથી એક ચરમ દ્રવ્ય અને નથી બહુ અચરમ દ્રવ્ય.
એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીને ચસ્માત પ્રદેશના રૂપમાં નથી કહી શકાતી. અને અચરમાન્ત પ્રદેશના રૂપમાં પણ નથી કહી શકાતી. કેમકે જ્યારે રત્નપ્રભા પૃથ્વીમાં ચમત્વ અને અચરમને સંભવ જ નથી તે તેને ચરમ પ્રદેશ અગર અચરમ પ્રદેશ પણ નથી કહી શકાતી.
- હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે રત્નપ્રભા પૃથ્વી ચરમ, અચરમ આદિ નથી તે તે શું છે? અને કયા રૂપે કહેવાય અને ક્યા રૂપે સમજવી જોઈએ ? આ પ્રશ્નને ઉત્તર આમ છે –રત્નપ્રભા પૃથ્વી, ચરમ, ચરમાણિ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે. તેનો આશય આ છે કે જ્યારે એક અખંડ રૂપમાં વિવક્ષિત રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં પ્રશ્ન કરાય તે પૂર્વોક્ત છ ભંગામાંથી કોઈ પણ ભંગ દ્વારા રત્નપ્રભા પૃથ્વીને નથી કહી શકાતી, પણ જ્યારે તેને અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ અને અનેક અવયવમાં વિભક્ત માનીને પ્રશ્ન કરાયતે તેને “ચરમ” અને “ચરમાણિ કહી શકાય છે, કેમકે તેમના છેવટના ભાગોમાં વિદ્યમાન તેમજ વિશિષ્ટ એકત્વ પરિણામવાળો જે ખંડ છે તેને ચરમાણિ (અનેક ચરમ) કહી શકાય છે. અને તે પ્રાન્ત ભાગોના વચમાં જે મોટો ખંડ ખંડે છે તે આખાને એકમાની લેવાય તે તે ખંડની અપેક્ષાએ તે અચરમ છે. રત્નપ્રભા પૃથ્વી પ્રાન્ત વતી અનેક ખંડ અને મધ્યમવતી એક મહાખંડનું સંમિલિત રૂપ છે અગર તેમ ન મનાય તે પછી રત્નપ્રભાનું અસ્તિત્વ જ નહીં રહે. એ પ્રકારે એક જ પૃથ્વીને અવયવ અવયવી રૂપમાં વિવક્ષિત કરવાથી તેને “અચરમ અને ચરમાણિ. કહેવાય છે, પરંતુ જ્યારે પ્રદેશની વિવક્ષા કરીને વિચાર કરાય છે, તે તેને ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ રૂપ કહી શકે છે, કેમકે તેમના બાહ્ય ખંડમાં રહેલા પ્રદેશ ચરમાન્ત પ્રદેશ કહેવાય છે અને મધ્યના એક મહાનું ખંડમાં રહેલા પ્રદેશ અચરમાન્ત પ્રદેશ કહેવાય છે.
એ પ્રકારે એકાન્ત દુધનું નિરાકરણ કરવાવાળા ભગવાનના ઉત્તર વાક્યથી આ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૨