SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું કારણ એ છે કે પ્રાણેન્દ્રિય આદિના વિષયભૂત દ્રવ્યની અપેક્ષાએ શબ્દ દ્રવ્ય અર્થાત ભાષા વગણના પુદ્ગલ સૂમ હોય છે અને ઘણું હોય છે. તે સાથે શબ્દ દ્રવ્ય તે તે ક્ષેત્રમાં રહેલા શબ્દ પરિણમનના મેગ્ય બીજા શબ્દ દ્રવ્યને પણ સુવાસિત કરી લે છે. એ કારણે આમ પ્રદેશની સાથે સ્પષ્ટ થાય છે નિવૃત્તિ-ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જલ્દી ઉપકરણેન્દ્રિયને અભિવ્યક્ત કરી દે છે. તેના સિવાય ધ્રાણેન્દ્રિય આદિની અપેક્ષાએ શ્રેગ્નેન્દ્રિય પિતાના વિષયને ગ્રહણ કરવામાં અધિકપટુ છે. એ પ્રકારે શ્રેગ્નેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને જ ગ્રહણ કરે છે. અસ્પષ્ટ શબ્દોને ગ્રહણ નથી કરતી, કેમકે તેમને સ્વભાવ પ્રાપ્ત પૃષ્ટ વિષય જ ગ્રહણ કરવાને છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચક્ષુઈન્દ્રિય રૂપનું ગ્રહણ કરે છે તે શું ધૃષ્ટ રૂપનું ગ્રહણ કરે છે–દેખે છે, અથવા અસ્પષ્ટ રૂપને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ચક્ષુઇન્દ્રિય પૃષ્ટ અર્થાતુ નેત્રની સાથે સમ્બદ્ધ રૂપને ગ્રહણ નથી કરતી પરંતુ અસ્કૃષ્ટ અર્થાત્ જેને સ્પર્શ ન થયે હેય એવા રૂપને ગ્રહણ કરે છે અર્થાત દેખે છે કેમકે ચક્ષુઈન્દ્રિય અપ્રાકારી માનેલી છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! ઘણેન્દ્રિય શું પૃષ્ટ અર્થાત્ બદ્ધ પૃષ્ટ ગંધને સુઘ છે અથવા અપૃષ્ટ અર્થાત્ અબદ્ધ અને અસ્કૃષ્ટ ગંધને સુંઘે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! ઘણેન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધને જ સુંઘે છે, અબદ્ધ અપૃષ્ટ ગધેને નથી સુંઘતી. એજ પ્રકારે રસ અને સ્પર્શેના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ અર્થાત્ જેમ ઘાણેન્દ્રિય બદ્ધ અને પૃષ્ટ ગંધને ગ્રહણ કરે છે, એજ પ્રકારે જિહેન્દ્રિય બદ્ધ પૃષ્ટ રસોને ગ્રહણ કરે છે અને પર્શનેન્દ્રિય બદ્ધ-સ્કૃષ્ટ સ્પર્શીને ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે જિ હેન્દ્રિયના માટે આસ્વાદન કરે છે એમ કહેવું જોઈએ અને સ્પર્શનેન્દ્રિયને માટે “પ્રતિસંવેદન કરે છે એમ કહેવું જોઈએ કહ્યું પણ છે-શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દને સાંભળે છે, ચક્ષુ અસ્કૃષ્ટરૂપને જુવે છે અને બાકીની ત્રણ ઇન્દ્રિય બદ્ધ અને સ્પષ્ટ ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય શું કર્ણકુહરમાં પ્રવિષ્ટ શબ્દને સાંભળે છે અથવા, કર્ણ કહરમાં અપ્રવિષ્ટ શબ્દોને સાંભળી લે છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિય પ્રવિષ્ટ અર્થાત્ કર્ણકુટરમાં પ્રાપ્ત થયેલ શબ્દને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દોને સાંભળતી નથી* જે પ્રકારે જેવું પૃષ્ટના વિષયમાં કહેલું છે, એજ પ્રકારે પ્રવિષ્ટના વિષયમાં પણ કહી લેવું જોઈએ. તાત્પર્ય એ છે કે ચક્ષુઈન્દ્રિય અપ્રવિષ્ટ રૂપને ગ્રહણ કરે છે. પ્રાણુઈન્દ્રિય બદ્ધ પ્રવિષ્ટ ગંધને ગ્રહણ કરે છે અને જિ હેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિય પણ બદ્ધ ધૃષ્ટ રસ તેમજ સ્પર્શને જાણે છે. કેમકે ગંધ આદિના દ્રવ્ય બાદર અને સ્તક હોય છે તથા પ્રાણ આદિ ઇન્દ્રિયે અભાવુક હોય છે અને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મન્દ શક્તિવાળી હોય છે. પર્શ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૫
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy