SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ હવે સ્પર્શનેન્દ્રિયના અ૮૫ બહુત્વના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન ! પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયની અવગાહનાની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ તથા અવગાહના અને પ્રદેશ બન્નેની અપેક્ષાએ કેણ તેનાથી અપ, ઘણી, તુલ્ય અગર વિશેષાધિક છે? શ્રી ભગવાન –બધાથી ઓછી પૃથ્વીકારિકેની સ્પર્શનેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ છે, તેજસ્પર્શેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાએ અનન્તગણી છે. શ્રી ગૌતમસ્વામી હે ભગવદ્ ! પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂ ગુણ કેટલા છે? શ્રી ભગવા-હે ગૌતમ ! પૃથ્વીકાયિકેની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂગુણ અનન્ત કહા છે. એ જ પ્રકારે મૃદુ-લઘુગુણ પણ અનન્ત કહ્યા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરૂગુણે અને દુ–લઘુગુણેમાં કોણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછા પૃથ્વીકાયિકની સ્પર્શનેન્દ્રિયના કશ ગુરૂ ગુણ છે, તેમની અપેક્ષાએ તેજ સ્પશનેન્દ્રિયના મૃદુ–લઘુગુણ અનન્ત ગુણિત અધિક છે. પૃથ્વીકાયિકના વક્તવ્યતાના અનુસાર અકાયિકો વાવ–તેજસ્કાચિકે, વાયુકાયિકો અને વનસ્પતિકાયિકની સ્પર્શનેન્દ્રિયની વક્તવ્યતા, કર્કશ ગુરૂની બધાની અપેક્ષાએ ન્યૂનતા અને મૃદુ-લઘુ ગુણની અનન્ત ગુણતા કહેવી જોઈએ. પણ પૃથ્વીકાયિકની સ્પશે. નેન્દ્રિયની અપેક્ષાએ અષ્કાયિક આદિની સ્પર્શેન્દ્રિયમાં આકારની વિશેષતા હોય છે. તે વિશેષતા આમ છે–અપ્નાયિકોની સ્પર્શનેન્દ્રિય પાણીના પરપોટાના આકારની છે. તેજસ્કાયના જીની સ્પર્શનેન્દ્રિય સૂચિકલાપ (સેને સમૂહ) ના આકારની હોય છે. વાયુકાયકેની સ્પર્શનેન્દ્રિય પતાકાના આકારની છે. વનસ્પતિકાયિકની સ્પર્શનેન્દ્રિયના આકાર વિવિધ પ્રકારના હોય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! હીન્દ્રિય ની ઈન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! હીન્દ્રિય ની બે ઈન્દ્રિય હોય છે, જેમકે જિહેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. આ બન્ને ઈન્દ્રિયેના આકાર બાહલ્ય વિસ્તાર પ્રદેશ અને અવગાહના સમુચ્ચય જીની ઈન્દ્રિયેના સમાન સમજી લે જોઈએ. વિશેષતા એ છે કે-દ્વાદ્રિ યેની સ્પર્શેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી હોય છે. શ્રી ગામમસ્વામી–હે ભગવન્! હીન્દ્રિયેની જિહાઈન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયમાં અવગાહનાની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ તથા અવગાહના અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કેનાથી અ૯૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછી કીન્દ્રિયની જિહાઈ દ્રિય અવગાહનાની અપેક્ષાએ છે, તેની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિય અવગાહનાની અપેક્ષાએ સંખ્યાતગણી અધિક છે. પ્રદેશની અપેક્ષાએ બધાથી ઓછી બે ઈન્દ્રિયની જિહાઈન્દ્રિય છે. તેનાથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશ રૂપથી સંખ્યાતગણી છે. અવગાહનાની અપેક્ષાએ શ્રીન્દ્રિયની જિહાઈન્દ્રિય સર્વસ્તક છે, સ્પર્શનેન્દ્રિય અવગાહનની અપેક્ષાએ સંખ્યાતગણી અધિક છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહનાર્થતાથી જિહાઇન્દ્રિયની પ્રદેશાર્થતા અનન્તગુણિત છે. સ્પર્શનેન્દ્રિય પ્રદેશની અપેક્ષાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૨૨૨
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy