SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામી-હે ભગવન! ભાવથી જે વર્ણવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. તેઓ શું એક વર્ણવાળા દ્રવ્યો હોય છે, યાવત્ શું બે વર્ણવાળા, ત્રણ વર્ણવાળા ચાર વર્ણવાળા અથવા પાંચ વર્ણવાળા હોય છે? શ્રી ભગવાન–હે ગૌતમ! ગ્રહણ દ્રવ્યોની અપેક્ષાએ અર્થાત્ જે દ્રવ્યો ગ્રહણ કરાય છે તેઓની અપેક્ષાએ એક વર્ણવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે, યાવત બે, ત્રણ, ચાર અને પાંચ વર્ણવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, અર્થાત્ જે દ્રવ્ય ગ્રહણ કરવાને ગ્ય છે, તેમાં કઈ એક વર્ણવાળા હોય છે. કેઈ બે વર્ણવાળા હોય છે, કેઈ ત્રણ વર્ષોથી યુક્ત છે, કોઈ ચાર વર્ણોવાળા હોય છે અને કઈ કઈ પાંચ વર્ણવાળા હોય છે. દિનુ સર્વ ગ્રહણની અપેક્ષાએ તે દ્રવ્ય નિયમથી પાંચ વર્ણો વાળા હોય છે. તાત્પર્ય એ છે કે જ્યારે એક પ્રયત્નના દ્વારા ગૃહીત સમસ્ત દ્રવ્યના સમુદાયની વિક્ષા કરાય છે ત્યારે નિયમથી પાંચ વર્ણોવાળા દ્રવ્યોને ગ્રહણ કરે છે. તે પાંચ વર્ણોવાળા આ પ્રકારે છે-કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત. આ પાંચે દ્રવ્યને ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જીવ ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હ ભગવદ્ ! વર્ણથી કાળા જે દ્રવ્યોને જીવ ભાષા રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. તેઓ શું એક ગુણવાળા કાળા હોય છે? બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ ગુણ કાળા હોય છે? સંખ્યાત ગુણ કાળા હોય છે? અથવા અસંખ્યાત ગુણ કાળા હોય છે ? અગર અનન્ત ગુણ કાળા હોય છે? શ્રી ભગવાન હે ગૌતમ ! એક ગુણ કૃષ્ણ પણ હોય છે, યાવત્ અનન્ત ગુણ કૃષ્ણ પણ હોય છે. અર્થાત્ વર્ણની અપેક્ષાએ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે જીવ એક પણ કૃષ્ણ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ દશ ગુણ કૃષ્ણ દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. સંખ્યાત ગુણ અને અસંખ્યાત ગુણ કૃષ્ણ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, એ પ્રકારે, નીલ, લાલ, પીળા અને શુકલ વર્ણવાળા દ્રવ્યના વિષયમાં પણ કહેવું જોઈએ અર્થાત્ એક ગુણ નીલ, પીત, રક્ત અને શુકલ વર્ણથી લઈને અનન્ત ગુણ નીલ આદિ સુધીને ગ્રહણ કરે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! ભાવથી ગંધવાળા જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું એક ગંધવાળા હોય છે અથવા બે ગંધવાળા હોય છે? - શ્રી ભગવાન–હે ગૌતમ ! ગ્રહણ દ્રવ્યની અપેક્ષાએ અર્થાત્ ગ્રહણ ચગ્ય પ્રત્યેની અપેક્ષાએ એક ગંધવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. અને બે ગંધવાળા ને પણ ગ્રહણ કરે છે, કિન્તુ સર્વ ગ્રહણની અપેક્ષાએ વિચાર કરાય તે નિયમથી બે ગંધવાળા દ્વિવ્યને જ ભાષા રૂપમાં પરિણત કરવાને ગ્રહણ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૬
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy