SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અગર બે આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે યાવત્ શું ત્રણ, ચાર, પાંચ, છ, સાત આઠ નવ, દશ પ્રદેશમાં અવગાઢ થાય છે, શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે અથવા શું અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે? શ્રી ભગવાન-જીવ જે દ્રવ્યોને ક્ષેત્રથી ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તેઓ આકાશના એક પ્રદેશમાં અવગાઢ નથી થતા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ પ્રદેશમાં અવગાઢ પણ નથી થતા, સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પણ નથી થતા, પરંતુ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે. તાત્પર્ય એ છે કે જે ભાષાદ્રવ્ય લોકના અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, તેઓને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, જે ભાષા દ્રવ્ય એક, બે અગર દશ અગર સંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, તે સ્વભાવથી જ ગ્રહણ કરવાને માટે અગ્ય હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ કાળથી જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તેઓ શું એક સમયની સ્થિતિવાળા હોય છે? અગર શું બે સમયની સ્થિતિવાળાને ગ્રહણ કરે છે? યાવત્ શું અસંખ્યાત સમયની સ્થિતિવાળાને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! કાળથી એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે, થાવત્ ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દશ સમયની સ્થિતિવાળાઓને પણ ગ્રહણ કરે છે. સંખ્યાત સમયની સ્થિતિ વાળાઓને પણ ગ્રહણ કરે છે, અને અસંખ્યાત સમયની સ્થિતિવાળાઓને પણ ગ્રહણ કરે છે, પુદ્ગલેની અવસ્થિતિ અસંખ્યાતકાળ પર્યન્ત પણ સંભવિત છે. કહ્યું પણ છેભગવદ્ ! અનન્ત પ્રદેશ કન્ય કેટલા સમય સુધી હલન ચલનથી યુક્ત રહે છે? ગૌતમ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી રહે છે અને હલન ચલન રહિત જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યોને ગ્રહણ કર્યા પછીના સમયમાં અવશ્ય નિસર્ગ (ત્યાગ) થાય છે. આ પ્રકારના સ્વભાવવાળાઓના અનન્તર સમયમાં ગ્રહણ સમજવું જોઈએ અથવા આદિ ભાષા પરિણામની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે એમ કહ્યું છે, કેમકે પુદ્ગલોનું પરિણમન વિચિત્ર હોય છે. તેથી જ એક જ પ્રયત્ન દ્વારા ગૃહીત અને ત્યાગેલા પણ કઈ કઈ પુદ્ગલ એક સમય સુધી જ ભાષાના રૂપમાં રહે છે. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-જે ભાષા દ્રવ્યને જીવ ભાવથી ગ્રહણ કરે છે, શું વર્ણવાળા ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા તે દ્રવ્યને ગ્રહણ કરે છે ? શ્રી ભગવાન ગૌતમ! જીવ ભાવથી ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે વર્ણવાળા, ગંધવાળ, રસવાળા, અને સ્પર્શવાળા હોય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૨૫
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy