________________
એજ પ્રકારે જેવા સામાન્ય નારકાના ઉપપાત કહ્યો છે તેવાજ રત્નપ્રભા પૃથ્વીના નારકાના ઉપપાત સમજી લેવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના નારકો કાનાથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! શર્કરાપ્રભા પૃથ્વીના નારકવાના ઉપપાત પણ સામાન્ય નારકાના સમાન સમજવા જોઇએ. વિશેષ વાત એ છે કે સંમૂમિ જીવાથી શરાપ્રભા પૃથ્વીના નારકેાના નિષેધ કરવા જોઇએ, તાત્પય એ છે કે સ’મૂર્છાિમ તિ ́ચ રત્નપ્રભા પૃથ્વી સુધી જ ઉત્પન્ન થઈ શકે છે, શરા પ્રભા આક્રિયા ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વીના નારક જીવા કાનાથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ :–હે ગૌતમ! જેવા શરાપ્રભા પૃથ્વીના નારકાના ઉપપાત કહ્યો છે, તેજ પ્રકારે વાલુકાપ્રભા પૃથ્વીના નારકેાના ઉપપાત પણ કહેવા જોઇએ. પરન્તુ વિશેષતા એ છે કે ભુજપરિસોથી ઉત્પન્ન થવાના નિષેધ કરવા જોઈ એ, કેમકે ભુજપરિસ મરીને શર્કરાપ્રભા પૃથ્વી સુધી ઉત્પન્ન થઇ શકે છે, આગળ નહી
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્! ૫કપ્રભા પૃથ્વીના નારક જીવા કાનાથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ! પંકપ્રભા પૃથ્વીના નારકના ઉપપાત વાલુકા પ્રભા પૃથ્વીના સમાન સમજવેા જોઈ એ, પરંતુ પંકપ્રભા પૃથ્વીમાં ખેચરાના ઉપપાતને નિષેધ સમજવે! જોઇએ, કેમકે ખેચર વાલુકાપ્રભા પૃથ્વીની આગળ ઉત્પન્ન નથી થતા,
શ્રી ગૌતમસ્વામી:હે ભગવન્ ! ધૂમપ્રભા પૃથ્વીના નારકે કેાનાથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જેવા પંકપ્રભા પૃથ્વીના નારકાના ઉપપાત કહ્યો છે, તેવાજ ધૂમપ્રભા પ્રથ્વીના નારકના ઉપપાત કહેવા જોઇએ. વિશેષ વાત એ છે કે ધૂમપ્રભા પૃથ્વીમાં ચતુષ્પદાના ઉપપાતના નિષેધ કરવા જોઇએ. શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન્ ! તમઃપ્રભા પૃથ્વીના નારક કાનાથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્ :ન્હે ગૌતમ ! જેવા ધૂમપ્રભા પૃથ્વીના નારકના ઉપપાત કહ્યો છે, તેવા જ તમઃપ્રભા પૃથ્વીના નારકેાના પણ ઉપપાત કહેવા જોઇએ, પણ વિશેષતા એ છે કે તમઃપ્રભા પૃથ્વીમાં સ્થલચર તિય``ચાના ઉપપાતના નિષેધ કરવા જોઇ એ. તેને અભિલાપ અર્થાત્ શબ્દોના પ્રયાગ આ રીતે છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૬૭