SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ નારક પણ કદાચિત્ સાન્તર અને કદાચિત્ નિરન્તર ઉત્પન્ન થાય છે. તેમની આવા પ્રકારની ઉત્પત્તિનું કારણ તેમના આવા પ્રકારના સ્વભાવનું જ છે. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! અસુરકુમાર શું સાર ઉત્પન્ન થાય છે, અથવા નિરન્તર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! અસુરકુમાર કયારેક સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કયારેક નિર'તર પણ ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે સુવર્ણકુમાર, નાગકુમાર, અગ્નિકુમાર, વિદ્યુતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને સ્તનિતકુમાર પણ કાઇ કાઇ વખતે સાન્તર ઉત્પન્ન થાય છે, કયારેક ક્યારેક નિરંતર ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! પૃથ્વીકાયિક સાન્તર ઉત્પન્ન થાય છે, અથવા નિરંતર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન્ડે ગૌતમ ! પૃથ્વીકાયિક સાન્તર ઉત્પન્ન નથી થતા, અર્થાત્ તેમની ઉત્પત્તિમાં કાળનુ કયારેય વ્યવધાન નથી થતુ, તે નિર'તર અર્થાત્ પ્રતિ સમય ઉત્પન્ન થયા જ કરે છે, તેમના પણ તેવેાજ સ્વભાવ છે. એ રીતે વનસ્પતિકાય સુધી અર્થાત્ અકાય, તેજ કાય, વાયુકાય, અને વનસ્પતિકાયના જીવ નિરન્તર ઉત્પન્ન થયા જ કરે છે, તેમની ઉત્પત્તિમાં કયારેય સમયનુ અન્તર નથી પડતુ. શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! દ્વીન્દ્રિય જીવ શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે ? શ્રી ભગવાન્-હે ગૌતમ ! કેાઇ વાર સાન્તર પણ ઉત્પન્ન થાય છે, ફાઇ વાર નિરન્તર, પશુ ઉત્પન્ન થાય છે. પચેન્દ્રિય તિય`ચા સુધી એજ રીતે કહેવુ જોઇએ અર્થાત્ ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય તિ ચ પણ એ જ પ્રકારે સાન્તર અને નિરતર ઉત્પન્ન થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મનુષ્ય શુ સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરન્તર ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન-ડે ગૌતમ ! મનુષ્ય કદાચિત્ સાન્તર પણ ઉત્પન્ન થાય છે, કદાચિત્ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. એ રીતે વાનભ્યન્તરે અને જ્યેાતિકાના વિષયમાં પણ સમજી લેવુ જોઇએ. સૌધર્મ, ઇશાન, સનત્કમાર માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાન્તક, મહાશુષ્ક, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત, નિચલા ત્રૈવેયક, વચલુ ત્રૈવેયક, અને ઊપરનું ચૈવેયક, વિજય વૈજયન્ત, જયન્ત, અપરાન્તિ અને સર્વો સિદ્ધ પણ કદાચિત્ સાન્તર અને કદાચિત્ નિર'તર ઉત્પન્ન થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૩૪૫
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy