SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવું જોઈએ કે એક પરમાણુમાં આઠ સ્પમાંથી ફક્ત શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ જ હોય છે. અને કેવળ પરમાણુમાં જ નહિ પણ સંખ્યાત પ્રદેશ સુધીના સ્કમાં પણ ચાર સ્પર્શ જ મળી આવે છે. કેઈ કેઈ અનન્ત પ્રદેશી સ્કન્દમાં પણ એવું બને છે કે જેમાં ચાર જ સ્પર્શ હોય છે. એ રીતે એક પ્રદેશમાં અવગાઢથી લઈને સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ સ્કન્ધ પણ ચાર સ્પર્શવાળા હોય છે. તેથી જ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શોની અપેક્ષાએ જ પરમાણુ ને સ્થાન પતિત સમજવા જોઈએ. હવે પ્રકૃતને ઉપસંહાર કરતા કહે છે કે-હે ગૌતમ ! એ હેતથી એમ કહેવાય છે કે પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! ક્રિપ્રદેશી સ્કના કેટલા પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત પર્યાય કહેલા છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન શા કારણે એવું કહેવું છે કે ઢિપ્રદેશી સ્કના અનન્ત પર્યાય કહ્યા છે? શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક દ્વિપ્રદેશી અન્ય બીજા દ્વિદેશી —ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે, પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે, પણ અવગાહનાની દૃષ્ટિએ કદાચિત્ તુલ્ય, અને કદાચિત્ અધિક થાય છે. જ્યારે બે ક્રિપ્રદેશી સ્કન્ધ આકાશને બે બે પ્રદેશોમાં અવગાઢ થાય અથવા બન્ને એક એક પ્રદેશમાં અવગાઢ થાય ત્યારે તેમની અવગાહના તુલ્ય હોય છે, પણ જ્યારે એક થ્રિપ્રદેશી સ્કન્ધ એક પ્રદેશમાં અવગાઢ થાય છે અને બીજો બે પ્રદેશમાં, તે તેઓમાં અવગાહનાની દષ્ટિએ હીનાધિકના થાય છે જે એક પ્રદેશમાં અવગાઢ છે તે બે પ્રદેશમાં અવગાઢ સ્કન્ધની અપેક્ષાએ એક પ્રદેશ હીન અવગાહનાવાળે કહેવાય છે અને જે બે પ્રદેશોમાં અવગાઢ છે, તે એક પ્રદેશાવગાઢની અપેક્ષાએ એક પ્રદેશ અધિક અવગાહનાવાળા છે. દ્ધિપ્રદેશી સ્કની અવગાહનામાં તેનાથી અધિક હીનાધિતાને સંભવ નથી. સ્થિતિની અપેક્ષાએ એક દ્વિદેશી સ્કન્ધ બીજા દ્વિદેશી સ્કન્ધથી ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ આદિની અપેક્ષાએ તથા પૂર્વોક્ત ચાર (શીત, ઉષ્ણ, નિષ્પ રૂક્ષ) સ્પર્શીની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. એ સ્થાનેનું કથન પહેલાની સમાન જ સમજવું જોઈએ. ઢિપ્રદેશી સ્કની જેવી વક્તવ્યતા કહી છે તેવી જ ત્રિપ્રદેશી સ્કન્ધની પણ સમજી લેવી જોઈએ. વિશેષતા એ છે કે અવગાહનાની અપેક્ષાએ તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૮૦
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy