SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ માણુ બીજા પરમાણુથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે અને પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે, કેમકે પ્રત્યેક પરમાણુ નિરંશ જ હોય છે. અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય છે કેમકે પરમાણુ નિયમથી આકાશના એક જ પ્રદેશમાં અવગાહના કરી રહે છે, કઈ પણ એવો પરમાણુ નથી કે જે એકથી અધિક આકાશ પ્રદેશમાં અવગાહી શકે. પણ સ્થિતિની દષ્ટિએ એક પરમાણુ બીજા પરમાણુથી કદાચિત હીન પણ થાય છે, તુલ્ય પણ થાય છે, અને અધિક પણ થઈ શકે છે. અગર હીન હોય તે અસંખ્યાત ભાગહીન; સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે, કેમકે પરમાણુની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે, અર્થાત્ કે પરમાણુ પરમાણું રૂપ પર્યાયમાં ઓછામાં ઓછા એક સમય સુધી રહે છે અને અધિકથી અધિક અસંખ્યાત કાળ સુધી રહી શકે છે, તેથી જ સ્થિતિની અપેક્ષાએ એક પરમાણુ બીજા પરમાણુથી ચતુઃસ્થાન પતિત હીન થાય છે. અગર અધિક થાય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયની અપેક્ષાએ કોઈ કોઈનાથી હીન, કઈ કઈનાથી તુલ્ય અથવા કઈ કેઈનાથી અધિક થાય છે. જે હીન થાય તે અનન્તભાગહીન અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન સંખ્યાત ગુણહીન અસંખ્યાત ગુણ હીન અથવા અનત ગુણ હીન થાય છે, પ્રશ્ન કરી શકાય છે કે પ્રદેશહીન પરમાણુમાં અનન્ત પર્યાયને શી રીતે સંભવ થઈ શકે છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે પરમાણુને જે અપ્રદેશી કહ્યો છે તે દ્રવ્યની અપેક્ષાએ જ સમજવાનું છે, કાળ અને ભાવની અપેક્ષાએ તે અપ્રદેશી અગર નિરંશ નથી. કહ્યું પણ છે “કguસોદpયા દ્રવ્યની અપેક્ષાએ જ પરમાણુ અપ્રદેશ છે, કેમકે એક જ પરમાણુમાં બીજા પરમાણુથી પણ અનન્ત ગણા પર્યાની સત્તા છે. અગર એક પરમાણુ બીજા પરમાણુથી અધિક હોય તે અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક અસંખ્યાત ગુણ અધિક અને અનન્ત ગુણ અધિક થાય છે. એ રીતે અધિકતાની દ્રષ્ટિએ પણ સ્થાન પતિત છે. એ રીતે કૃષ્ણ વર્ણના પર્યાયની સમાન શેષ વર્ણ, ગંધ, રસે સ્પર્શીના પર્યાયથી પણ સ્થાન પતિત સમજવા જોઈએ એ પથાનેનું ઉચ્ચારણ પહેલાની બરાબર કરી લેવું જોઈએ. પણ ધ્યાનમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૭૯
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy