________________
સાત ધનુષ સુધી મળી આવે છે.
જઘન્ય સ્થિતિવાળા એક નારકથી જઘન્ય સ્થિતિવાળા બીજા નારક સ્થિતિની દષ્ટિએ સમાન થાય છે. કેમકે જઘન્ય સ્થિતિનું એક જ નિયત સ્થાન છે, તેમાં કઈ પ્રકારની હીનાધિકતાનો સંભવ નથી. પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી, ત્રણજ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ત્રણ દર્શના પર્યાથી
સ્થાન પતિત થાય છે. અર્થાત્ એક બીજાથી અગર હીન હોય તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગ હીન સંખ્યાત ગુણહીન, અસંખ્યાતગુણ હીન અથવાઅનન્ત ગુણહીન હોય છે. અને જે અધિક હોય તે અનન્તભાગ અધિક; અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે. જઘન્ય સ્થિતિવાળા નારકમાં ત્રણ અજ્ઞાન કવચિત્ કદાચિત્ જ મળી આવે છે. કેમકે સંમઈિમ અસંજ્ઞી પંચેન્દ્રિયેથી જે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. તેમાં અપર્યાપ્ત દશામાં વિર્ભાગજ્ઞાન થતું નથી.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો એક નારક બીજા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે પણ અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારક અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને પાંચસો ધનુષ સુધીની અવગાહનાવાળા થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા એક નારક બીજા નારકથી સ્થિતિમાં તુલ્ય હોય છે. પરંતુ વર્ણાદિથી ષટસ્થાન પતિત થાય છે.
એ રીતે મધ્યમ સ્થિતિવાળા બીજા નારકના વિષયમાં પણ સમજવું જોઈએ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા એક નારક મધ્યમ સ્થિતિવાળા બીજા નારકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય બને છે, પ્રદેશની દૃષ્ટિએ પણ તુલ્ય થાય છે. પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. કિડુ પહેલાની અપેક્ષાએ વિશેષતા એટલી છે કે સ્વસ્થાનની દષ્ટિએ તે ચતુસ્થાન પતિત બને છે. તાત્પર્ય એ છે કે જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોની સ્થિતિ પરસ્પર તુલ્ય કહેલી છે, પણ મધ્યમ સ્થિતિવાળાની સ્થિતિ પરસ્પર ચતુઃસ્થાન પતિત છે. કારણ એ છે કે મધ્યમ સ્થિતિ તરતમ ભાવથી અનેક પ્રકારની છે, એક સમય અધિક દશ હજાર વર્ષથી લઈને એક સમય ઓછા તેત્રીસ સાગરોપમ સુધીની સ્થિતિ મધ્યમ સ્થિતિમાં પરિણિત છે. તેથી જ તેનું ચતુઃસ્થાન પતિત હીનાધિક થવું સ્વભાવિક જ છે.
શ્રી ગૌતમસ્વામી–ભગવન ! જઘન્ય ગુણ કાલક નારકેના કેટલા પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૨૪