SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્પત્તિ નથી થતી, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારક જો સમ્યગ્દષ્ટિ હાય તે તેમનામાં ત્રણ જ્ઞાન થાય છે અને જો મિથ્યાદ્રષ્ટિ હાય તેા ત્રણ અજ્ઞાન થાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકેાના સઅન્યમાં પ્રશ્ન કર્યાં પછી ગૌતમસ્વામી હવે અજઘન્યાનુત્કૃષ્ટ અવગાહનાવાળાએના વિષયમાં પ્રશ્ન કરે છે— શ્રીગૌતમસ્વામી—હે ભગવાન્ ! અજઘન્ય-અનુષ્કૃષ્ટ અર્થાત્ જે જઘન્ય નથી અને જે ઉત્કૃષ્ટ પણ નથી એવા મધ્યમ અવગાહનાવાળા નારાના કેટલા પર્યાય હ્યા છે? શ્રી ભગવાન્—હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળા નારકાના પણ અનન્ત પર્યાય કહેલા છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ શા કારણે એમ કહેવાય છે કે મધ્યમ અવ ગાહેના વાળાના અનન્ત પર્યાય કહ્યા છે ? શ્રી ભગવાન્—ગૌતમ ! એક મધ્યમ અવગાહનાવાળા નારક ખીજા મધ્યમ અવગાહના વાળા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે. પણ અવગાહનાની અપેક્ષાએ હીન પણ ખની શકે છે, તુલ્ય પણ ખની શકે છે અને અધિક પણ બની શકે છે. જો હીન થાય તે અસંખ્યાત ભાગ હીન, સખ્યાત ભાગહીન, સખ્યાત ગુઢ્ઢીન, અગર અસંખ્યાત ગુણહીન થઈ શકે છે. જો અધિક થાય તે અસખ્યાત ભાગ અધિક, સખ્યાતભાગ અધિક સંખ્યાતગુણુ અધિક અથવા અસંખ્યાતગુણુ અધિક થઇ શકે છે. મધ્યમ અવગાડુનાના અથ છે જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની વચલી અવગાહના. એ અવગાહનાના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની સમાન નિયત એક સ્થાન નથી હતુ. સ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જઘન્ય અવગાહના છે અને પાંચસે ધનુષ ઉત્કૃષ્ટ અવગાહના છે. તેની વચમાં જેટલી પણ અવગાહનાએ અને છે. તે બધી મધ્યમ અવગાહનાની શ્રેણિમાં જ સંમિલિત છે. એ પ્રકારે સ` જઘન્ય અંશુલના અસ`ખ્યાતમા ભાગથી અધિક જોડીને અંગુલના અસખ્યાતમા ભાગ કહ્યો. પાંચસે ધનુષની અવગાહના મધ્યમ અવગાહના સમજવી જોઇએ. આ અવગાહના સામાન્ય નારકની અવગાહનાના સમાન ચતુસ્થાન પતિત અની શકે છે. અજઘન્ય-અનુષ્કૃષ્ટ અવગાહનાવાળા એક નારક બીજા નારકથી સ્થિતિની અપેક્ષાએ હીન પણ ખની શકે છે તુલ્ય પણ ખની શકે છે અને અધિક પણુ થઈ શકે છે. અગર હીન થાય તે અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સખ્યાતગુણુ હીન, અથવા અસંખ્યાત ગુણહીન થઇ શકે છે. એ રીતે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨ ૨૨૨
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy