SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Twત્ત) અસુરકુમારના અનન્ત પયોય કહ્યા છે (Uર્વ) એ રીતે (જ્ઞા) જેમ (ફા) નારક () જેવા (અસુર મારા) અસુરકુમાર (તહા) એવા પ્રકારના (નાવાયુમાર રાવ થાિચના) નાગકુમાર અને સ્વનિકુમાર પણ સમજવા. ટીકાથ–હવે અસુરકુમાર વિગેરે ભવનપતિની પ્રરૂપણ કરાય છે ગૌતમ પ્રશ્ન કરે છે-હે ભગવન્! અસુરકુમારના કેટલા પર્યાય કહેલા છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે–અસુરકુમાર ભવનપતિયોના અનન્ત પર્યાય કહેવાયેલા છે. શ્રી ગૌતમ પૂછે છે-હે ભગવન્! ક્યા હેતુથી એમ કહેવું છે કે અસુર કુમારના અનન્ત પર્યાય કહેલા છે ? શ્રી ભગવાન હેતુનું પ્રતિપાદન કરે છે–એક અસુરકુમાર બીજા અસુર કુમારથી દ્રવ્યાર્થિક નયથી તુલ્ય છે અર્થાત્ જીવ દ્રવ્યની દૃષ્ટિથી અસુરકુમારોમાં પરસપર કોઈ અંતર નથી. પણ અવગાહના અર્થાત્ શરીરની ઊંચાઈની અપેક્ષાએ કઈ અસુરકુમાર કોઈ અસુરકુમારથી હીન હોય છે. તુલ્ય હોય છે. અગર તે અધિક હોય છે. અગર હીન હોય છે તે અસંખ્યાત ભાગ હીન હોય છે અગરતે સંખ્યાત ભાગ હીન હોય છે અથવા સંખ્યાતગુણ હીન હોય છે અથવા અસંખ્યાતગુણ હીન હોય છે. અગર અધિક હોય છે તે અસંખ્યાત ભાગ અધિક હોય છે, સંખ્યાત ભાગ અધિક હોય છે સંખ્યાતગુણ અધિક હોય છે અથવા અસંખ્યાતગુણ અધિક હોય છે. આયુ કર્મને અનુભવ કરે તે સ્થિતિ કહેવાય છે. એ સ્થિતિની અપેક્ષાએ એક અસુરકુમાર બીજા અસુરકુમારથી ચતુઃ સ્થાન પતિત હોય છે, તાત્પર્ય એ છે કે કેઈ અસુરકુમાર કોઈ અન્ય અસુરકુમારની અપેક્ષાએ સ્થિતિમાં હીન હોય છે, કેઈ કેઈની બરાબર હોય છે, કેઈ કેઈનાથી અધિક હોય છે અગર હીન હોય તે અસંખ્યાત ભાગ હીન થાય છે, અથવા સંખ્યાત ભાગ થાય છે અગર સંખ્યાતગુણ હીન થાય છે અથવા અસંખ્યાત ગુણ હીન બને છે. અગરતે અધિક હોયતે અસંખ્યાત ભાગ અધિક હોય છે અથવા સંખ્યાત ભાગ રાધિક હોય છે અથવા સંખ્યાતગુણ અધિક બને છે અગર અસંખ્યાત ગુણ અધિક થાય છે. કૃષ્ણવર્ણ પર્યાની અપેક્ષાએ કેઈ અસુરકુમાર કેઈનાથી હીન, તુલ્ય અગર અધિક બને છે. અગર હીન થાય છે તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨ ૨૦૦
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy