SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ–પ્રથમ આચારાંગમાં દિશાઓનું અનેક પ્રકારે વર્ણન કર્યું છે, પણ અહિં તેમાંથી ક્ષેત્રદિશાઓનું જ ગ્રહણ કરાયેલું છે. બાકીની દિશાઓ પ્રાયઃઅનિયત છે અને પ્રસ્તુત પ્રસંગમાં ઉપયોગી પણ નથી ક્ષેત્ર દિશાઓની ઉપત્તિ મધ્યલેકના મધ્યમાં રહેલા આઠ રૂચક પ્રદેશથી જ થાય છે. કહ્યું પણ છે. આઠ પ્રદેશવાળ રૂચક તિરછાલેકના મધ્યમાં રહેલ છે. તેજ દિશાઓ તેમજ વિદિશાઓના પ્રભવ અર્થાત્ ઉત્તપત્તિ સ્થાન છે ૧ દિશાઓની અપેક્ષાએ અર્થાત્ ક્ષેત્રદિશાના અનુસરણથી વિચાર કરાય તે પશ્ચિમ દિશામાં બધાથી ઓછા જીવ છે. તેનું કારણ આ છે–અહિં બાદર ની અપેક્ષાથીજ અ૯પ બહુત્વને વિચાર કરાય છે, સૂમ ની અપેક્ષાથી નહિ. કેમકે સૂકમ જીવ સમગ્ર લેકમાં વ્યાપ્ત છે. તેથી જ સૂમ જીવ પ્રાય:સર્વત્ર સમાનજ છે. બાદર જેમાં પણ બધાથી વધારે વનસ્પતિ કાયિક જીવ છે. કેમકે તે અનન્ત છે. એવી સ્થિતિમાં જ્યાં અધિક વનસ્પતિ છે ત્યાં ઘણા જીવ હશે. ત્યાં વનસ્પતિની અલ્પતા છે ત્યાં જે પણ થોડા હશે. વનસ્પતિ ત્યાં વધારે હોય છે જ્યાં જલની વિપુલતા હોય છે. કહ્યું પણ છે “ની સરું તથ Tળ” જ્યાં જળ છે ત્યાં વન અર્થાત્ વનસ્પતિ છે. જ્યાં પાણી હોય છે ત્યાં પનક શવાલ આદિને સદૂભાવ અવશ્ય હોય છે. પનક શિવાલ આદિને જે કે બાદર નામ કમનો ઉદય છે. તેથી તેમની ગણના બાદર વનસ્પતિ કાયમાં છે. તથાપિ તેમની અવગાહના અત્યન્ત સૂક્ષમ હોય છે અને એકત્ર થઈને રહે છે, એ કારણે બધી જગ્યાએ વિદ્યમાન હોવા છતાં આંખોથી દેખાઈ નથી શકતાં અનુયોગ દ્વાર સૂત્રમાં કહ્યું પણ છે–સૂક્ષમ પનક જીવની અવગાહનાથી વાલા અસંખ્યાત ગણું અવગાહના વાળ હોય છે. તેથી જ્યાં જળમાં વનસ્પતિ કાયિક જીવ દેખા નથી દેતાં, ત્યાં પણ તેમનું અસ્તિત્વ સમજી લેવું જોઈએ, વનસ્પતિ કાયિક જીવોનું બહુત્વ “વસ્થ ગાડrો તરી નિયમ વનસફારૂ, અર્થાત્ જ્યાં અષ્કાય છે ત્યાં નકિકપણે વનસ્પતિ કાયિક જીવ હોય છે. તથા “go સેવા સૂઢાર્ફવાય વિ દત સુદુ વાળા ન જવુળા' અર્થાત્ પનક, સેવાળ, હઠ આદિ બાદર પણ હોય છે. સૂક્ષ્મ કેવળ જિનાજ્ઞા ગ્રાહ્ય છે. એ ચક્ષુદ્વારા ગ્રાહ્ય નથી, આ યુક્તિઓથી સિદ્ધ થાય છે. સમુદ્ર આદિમાં પ્રચુર જળ હોય છે અને સમુદ્ર દ્વીપની અપેક્ષાએ બમણ વિસ્તાર વાળાં છે. તે સમુદ્રોમાં પણ પ્રત્યેકમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં કમથી ચન્દ્ર અને સૂર્ય દ્વિીપ સ્થિત છે અને જેટલા સ્થાનમાં ચન્દ્ર સૂર્ય દ્વીપ છે તેટલામાં જળને અભાવ છે અને જળનો અભાવ હોવાથી વનસ્પતિ કાયિકને પણ અભાવ છે. તેમાં પણ પશ્ચિમ દિશામાં લવણું સમુદ્રના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006447
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages423
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy