SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વાથી તે અર્થને નિર્ણતા બની ગયેલ હતો. જેથી તે પૃષ્ટાથે હતો. તે સર્વ રીતે અર્થને ગ્રહણ કરનાર બની ગયે હતો. એથી તે લબ્ધાર્થ હતો. તે વાસ્તવિક અર્થને જ્ઞાતા થઈ ગયે હતો. એથી તે વિનિશ્ચતાર્થ હતો. નિગ્રંથ પ્રવચન વિષયક પ્રેમ તેના અણુએ અણુમાં રમી ગયે હતો, એથી તે અસ્થિમજજાપ્રેમાનુરાગી હતો. તે પિતાના પુત્ર પૌત્ર વગેરેને આ પ્રમાણે જ કહેતો હતો કે હે આયુશ્મન ! આ નિગ્રંથ પ્રવચન જ મોક્ષના હેતુ હોવા બદલ વાસ્તવિક અર્થથી યુક્ત છે. બીજા કુવાદિએના પ્રવચને આવાં નથી. કારણકે તે મુગતિ તરફ દેરનારા છે. નિગ્રંથ પ્રવચનની પ્રતિપત્તિથી તેનું હદય સ્ફટિકમણિ જેમ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિ ની છાયા જ્યારે “ વૃત્ત આ પ્રમાણે કરવામાં આવે છે ત્યારે તેને અર્થ આ પ્રમાણે હોય છે કે તેણે ગૃહપ્રવેશદ્વારના કમાડેમાં અર્ગલા મૂકવાના સ્થાનની ઉપરજ રાખી. ત્રાંસી મૂકી ન હતી એટલે કે પ્રવેશદ્વારના કમાડામાં તેણે સાંકળ લગાડી ન હતી પણ તેને ઉંચી જ રાખી હતી એની પાછળ આ હેતુ છે કે ભિક્ષુક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સહેલાઈથી ઘરમાં પ્રવેશી શકે. અથવા ઉરિષ્કૃત શબ્દને અર્થ આ પ્રમાણે પણ થાય છે કે તેણે અર્ગલા લગાડી જ નહોતી. તે ઉદાર તેમજ અતિશય દાનદાતા હતો એથી ભિક્ષુક વગેરેના પ્રવેશ માટે પિતાના ઘરને તેણે અર્ગલા વગર જ રાખ્યું હતું. આ પ્રમાણે અર્થ કરતાં આપણે એમ કહી શકીએ કે તેણે અર્ગલાને તેના સ્થાન પરથી ઊંચી પણ નહોતી કરી. એટલા માટે “ઝારદા પરથી સૂત્રકારે તેને સર્વથા સમુદ્દઘાટિતદ્વારવાળે પ્રકટ કર્યો છે. અને સમ્યગ દર્શનના લાભ થી હવે કોઈ પણ પાંખડિકથી તે ભયભીત નહિ થતો એથી અને શોભનમાર્ગના પરિગ્રહથી તે સર્વદા સમુદ્દઘાટિત શિરવાળે થઈને રહેતા હતા. તે પ્રીતિકરાન્તા પુરગૃહપ્રવેશવાળા હતે. એટલે કે રાજાના રણવાસમાં તેને પ્રવેશ પ્રત્યુત્પાદક હતે એટલે કે તે અતિધાર્મિક હતા એથી પ્રીતિકર અને સર્વત્ર અનાશંકનીય હતો. ચતુર્દશી વગેરે ચારે ચાર પર્વ તિથિઓમાં તે અહોરાત્ર પૌષધ કરતે હતો પ્રાસુક એષણીય અચિત્ત અને સાધુજન ક૫નીય એવા અશનપાન વગેરે રૂપ ચાર પ્રકારના આહારથી પીઠ, ફલક, શય્યા, અને સંસ્તારકથી વસ્ત્ર, પ્રતિગ્રહ-ભકતપાન વગેરે પાત્ર, કંબલ અને પાદ છનાર્થ વસ્ત્રથી એક દ્રવ્ય નિષ્પાદન ભેષજયથી તે શ્રમણ નિર્વ ને પ્રતિલાભિત કરતો હતો. આ પ્રમાણે ઘણું શીલવ્રતોથી–સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરેથી, દિગૃવિરતિ વગેરે ગુણત્રથી, મિથ્યાત્વ નિવર્તનરૂપ વિરમણથી, શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૨ ૪૦
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy