SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠ ફલક, શમ્યા સંસ્મારકથી વમ પાત્ર, કંબલ, પાદ પ્રચ્છનથી અને ઓષધ ભૈષજયથી શ્રમણ નિગ્રંથને પ્રતિલાભિત કરતે ( િરીકવરપુરમાવોસણોवासेहिं य अप्पाणं भावेमाणे जाई तत्थ राजकज्जाणि य जाव राजवच. हाराणि य ताई जियसत्तुणा रणा सद्धिं सयमेव पच्चुवेक्खमाणे२ विहरइ) અને અનેક શીલવતે, ગુણવ્રત, મિથ્યાત્વથી નિવર્તન, પ્રત્યાખ્યાત અને પોષવડે પિતાના આત્માને ભાવિત કરતે તે શ્રાવસ્તી નગરીના સર્વ રાજકાર્યોનું સંચાલન કરતો જિતશત્રુ રાજાની સાથે રહીને વારંવાર રાજ્યકાર્યનું અવલોકન કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગે. ટીકાર્થ—ગૃહિધર્મના પાલનથી તે ચિત્રસારથિ શ્રમણે પાસક થઈ ગયે. જીવ, અજીવ તત્વ વિષયક સકળ જ્ઞાનથી તે સંપન્ન થઈ ગયે. પુણ્ય અને પાપના યથાવાસ્થિત સ્વરૂપને તે જાણવા લાગ્યું. તેમજ પ્રાણાતિપાત વગેરે આસ્રવ પ્રાણતિપાતાદિ વિરમણરૂપ સંવર, કર્મોને એકદેશથી ક્ષય થવા રૂપ નિર્જરા, કાયિકી વગેરે રૂપ ક્રિયા ખડૂગ વગેરે રૂપ અધિકરણ, દુગ્ધજલની જેમ કર્મ પુદ્ગલેનું અને જીવ પ્રદેશનું એક ક્ષેત્રાવગાહનરૂપ બંધ, જીવ પ્રદેશથી સર્વાત્મના કર્મોનું અપગમનરૂપ મક્ષ આ બધામાં તે ચતુર હતા એટલે કે આસવ વગેરેના સ્વરૂપનો તે જાણકાર થઈ ગયું હતું. તે એ ચતુર થઈ ગયું હતું કે કુતીWિકેના કુતર્ગખંડનમાં તે કોઈની પણ મદદ લેતે નહતું. તેમજ જિનપ્રવચન પ્રત્યે તેના મનમાં એવી અગાધ શ્રદ્ધા જામી ગઈ હતી કે જેથી તે દેવ, અસુર, નાગ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિ પુરુષ વગેરે વડે તે જરાએ વિચલિત કરી શકાય તેમ નહોતે. વૈમાનિક દેવ અહીં દેવપદથી, અસુરકુમાર જાતિના ભવનપતિ અસુરકુમાર પદથી, નાગકુમાર જાતિના ભવનપતિદેવ નાગ શબ્દથી તેમજ યક્ષ, રાક્ષસ, કિનર અને કિંપુરૂષ આ પદેથી વ્યંતર જાતિના દેવનું ગ્રહણ થયું છે. ગરૂડ શબ્દથી ગરૂડેશ્વવાળા સુવર્ણકુમાર-કે જેઓ ભવનપતિ જાતિના દેવ વિશેષ છે તેનું ગ્રહણ થયું છે. ગંધર્વ અને મહારગ એ બંને ચંતરણ વિશેષ છે. તે ચિત્રસારથિના મનમાં નિન્ય પ્રવચનને લઈને એવી કોઈપણ દિવસે શંકા ઉત્પન્ન થઈ નહોતી કે આ નિર્ગથ પ્રવચન બીજા દર્શન કરતાં શ્રેષ્ઠ છે કે કેમ? એથી તે તે પ્રતિ નિશ કિત હતે. પરમત પ્રત્યે તેના મનમાં લગીર કાંક્ષા ઉત્પન્ન થઈ નહતી એથી તે નિષ્કાંક્ષિત હતું ફળ પ્રત્યે તે સંદેહ રહિત હતે. એથી તે નિર્વિચિકિત્સ હતું. તેણે ગુરુ વગેરે પાસેથી પ્રવચન વગેરે અર્થને સારી પટે જાણી લીધાં હતાં. એથી તે લબ્ધાર્થ હતું. તે અર્થને તેણે સારી પેઠે સ્વીકાર કરી લીધું હતું. એથી તે ગૃહીતાર્થ હતો. સશયિક સ્થળ વિષે પરસ્પર પ્રશ્નો કર શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨ ૩૯
SR No.006442
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy