SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલ જળબિંદુ સમાન ચંચળ, અને કમળદલને ઉપર રહેલ જળબિંદુઓ સમાન આપાતરમણીય, ક્ષણમાત્ર જ સુખદાયી પણ લાંબા સમય સુધી દુઃખદાયક, એવા ભાગોની લાલસાથી પિતાને માટે અથવા વિના કારણે અથવા ધર્મને નિમિત્તે અનેક દીન, હીન, અત્રાણ, અશરણ, અનાથ, અસહાય, જેમને જીવવું ગમે છે અને મરણથી જે બીવે છે તેવાં ત્રસ, સ્થાવર અને નિર્દય બનીને મેં માર્યા, વારંવાર તેમને કષ્ટ આપ્યું, ઉપમદિત કર્યા, પરિતાપ પહોંચાડ્યા. અને પ્રાણ રહિત કર્યા તે વિષયમાં મને સદ્ગુરુએ સમજાવ્યું છતાં પણ તેમને બતાવેલ માર્ગની અવગણના કરીને હું કુમાર્ગમાં જ દઢ રહ્યો. તેનું જ આ ફળ અત્યારે મારે ભેગવવું પડે છે. ” આ રીતે પિતે પૂર્વે કરેલા પાપકર્મોની નિંદા કરતા તે નારકી છે “હિં તહિં” રત્નપ્રભા આદિ તે નરકેમાં “રિસાળતે તે નરકગ્ય “સ વિના” અતિશય દુર્ભેદ્ય “સુતારું” અશાતા વેદનીય રૂપ દુઃખ “અનુમવિત્ત” ભગવાને “તો ર” જ્યારે તે નરકમાંથી “ સારવ ” આયુષ્યને ક્ષય થાય છે ત્યારે “ saરિવારમાT” બહાર નીકળે છે. ત્યારબાદ “વ ” તેમનામાંથી ઘણું ખરા નારકી જીવ “તિવિહિં” તિર્યંચ નિમાં “Tછંતિ” જાય છે, કારણ કે નરકમાંથી નીકળેલા બહુ થડા છ જ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે છે. તે તિર્યચનિ કેવી છે તે વાત સૂત્રકાર દર્શાવે છે–તે નિ “દુરસ્તુત્તર અનન ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ સ્થિતિવાળી હોવાને લીધે દુખના પ્રકર્ષવાળી છે. “પુvi” વિવિધ દુઃખનું ધામ હોવાથી ઘણું જ દારૂણભયંકર છે. “ન –માજ--વાણિ પરિચદૃનાદ” જન્મ, મરણ, જરા અને વ્યાધિઓની ફરી ફરીને પ્રાપ્તિ થવાને કારણે રહેંટ જેવી છે. તથા “ નથdહારવવિદુવં ” જેમાં પરસ્પર જળચર, સ્થળચર, અને નભચરોનાં વિવિધ પ્રકારના વધના પ્રપંચ વિસ્તાર છે. એવી તિર્યંચ નિને તેઓ પ્રાપ્ત કરે છે સૂ-૩૭ | શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૫૮
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy