SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ “નમનિયHTTU WEITZત્ત ? પ્રાણાતિપાત વિરમણ આદિ યમોથી અને અભિગ્રહ આદિ નિયમમાંથી, કે જે સવે ગુણોમાં શ્રેષ્ઠ મનાય છે. યુક્ત છે. તથા “દિમયંતમહંત તેમંત ” જે હિમાલય પર્વતની જેમ વિશાળ અને તેજસ્વી છે, એટલે કે જેમ હિમાલય પર્વત સઘળા પર્વતે કરતાં મહાન અને તેજસ્વી મનાય છે તેમ આ બ્રહ્મચર્ય વ્રતને પણ સઘળાં વ્રતોના કરતાં વિશાળ તેજસ્વી વ્રત માનવામાં આવે છે. કહ્યું પણ છે– "व्रतानां ब्रह्मचर्य हि, निर्दिष्टं गुरुकं व्रतम् । तज्जन्यपुण्यसंभार, - संयोगाद् गुरुरुच्यते ॥ १॥ વ્રતમાં સૌથી મોટું વ્રત બ્રહ્મચર્ય છે. કારણ કે બ્રહ્મચર્યના પાલનથી જે પુન્ય સમૂહ પ્રાપ્ત થાય છે–તેના કારણે તેને ગુરુ મનાય છે. એટલે કે આ બ્રહ્મચર્યનું પાલક જ સાચે ગુરુ કહેવાય છે. તથા “સરથમ થિનિમણૂં” તે બ્રહ્મચર્યના પાલનથી તેનું પાલન કરનારનું અંતઃકરણ શુભ, ગંભીર, અગાધ, અને સ્થિર થઈ જાય છે. તથા “ભગવાન ”િ આ બ્રહ્મચર્ય, આર્જવ, સરલ ભાવમાં લીન થયેલ સાધુજનો દ્વારા આચરવામાં આવે છે. તથા “મો કરવમો ” આ બ્રહ્મચર્ય, તેનું પાલન કરનારને મેક્ષની પ્રાપ્તિ કરાવનાર હોય છે. તથા “વિરૂદ્ધસિદ્ધિાનિસ્ટ” આ બ્રહાચર્ય વિશદ્ધ રાગાદિ દેથી રહિત હોવાને લીધે નિર્મળ-કે કૃતકૃત્યતા રૂપ ગતિ છે તેનું ઘર છે-સિદ્ધિગતિ પ્રાપ્ત કરાવાનાર હોવાથી સિદ્ધિનું સ્થાન છે, તથા “રાજવં” કાયમી શિવ સુખનું જનક હોવાથી આ બ્રહ્મચર્ય શાશ્વત છે “અજ્ઞાવાદ ” શારીરિક અને માનસિક દુઃખોથી રહિત હોવાને કારણે આ બ્રહ્મચર્ય અવ્યાબાધ-બાધાથી રહિત છે, “મપુળદમયં ” તેના પ્રભાવથી સંસારમાં જીવને પુનર્જન્મ લે પડતા નથી. તેનું તે પ્રતિરોધક છે તેથી તે અપુનર્ભવરૂપ છે. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૩૨૩
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy