SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ઉપદેશ કરેલ નથી, એટલે આ શ્રુત-ચારિત્રના સ્વરૂપની સમાનરૂપથી અનાદિકાળની પ્રવૃત્તિ હોવાને કારણે આ દ્વાદશાંગીનું ધ્રુત્વ નિત્યત્વ અને શાશ્વતિકત્વ સિદ્ધ થાયછે. તેમજ કહ્યું પણ છે કે−આ ખાર અંગરૂપ ગણિપિટક ( આચાય ની પેટી ) કયારેક પણ ન હતી અત્યારે પણ નથી અને કયારેય નહિ હાય તેમ નથી, પણ તે હતી, છે અને રહેશે, કેમકે આ પેટી ધ્રુવ છે. નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે. અવસ્થિત છે અને નિત્ય છે. ” (નન્દી ) હેતુ અને દૃષ્ટાન્ત શ્રુતચારિત્રના પરિષક હાવાથી તીર્થંકરાએ પ્રત્યેક સમયે તપેાતાના શિષ્યાને પ્રતિબેાધવા અનુકૂળતાનુસારે તેનું જુદી જુદી રીતે કથન કરેલ છે, એટલે અહીં હવે શકાને કોઈ સ્થાન રહેતુ નથી, તેથી જ્ઞાતાધમ કથાંગસૂત્રં મેઘકુમાર, વિપાકસૂત્રમાં સુબાહુકુમાર આદિ, અન્તકૃતદશાંગસૂત્રમાં ગૌતમકુમાર આદિ તથા કાલી મહાકાલી આદિ સાદિવઓને અગ્યાર અગાનું અધ્યયન (ભણવું) સંગત થાય છે. મેઘકુમારની માફ્ક જાલિકુમારે પણ ગુણરત્ન નામે તપનું આરાધન કર્યું. એ તપની વિધિ આ રીતે છે :-પ્રથમ મહિનામાં એકાન્તર ઉપવાસ, બીજા મહિનામાં છઠ્ઠુંને પારણે છઠ્ઠ, ત્રીજામાં અઠ્ઠમને પારણે અઠ્ઠમ. એ રીતે સેાળમે મહિને સેાળ સેાળ ઉપવાસે પારણુ, એજ ક્રમથી પાછા ઉતરતા એકાન્તર ઉપવાસ સુધી કરવામ આવે છે. દિવસે ઉત્ક્રુટુકાસને ( ઉકડુઆસને ) સૂર્યની આતાપના લે. રાત્રિમાં મુખવસ્ત્રિકા ચાલપક સિવાય પ્રાવરણ રહિત થઇ વીરાસને બેસી ધ્યાન કરે. આ પ્રમાણે આ તપમાં તપ દિવસ ૪૦૭ તથા પારણાના દિવસ ૭૩ કુલ ૪૮૦ દિવસ થાય છે એ ક્રમે સેાળ માસમાં આ તપ પૂર્ણ થાય છે. સ્કન્દક ઋષિની માફક, ચિન્તના, પૃચ્છના તથા અનશન આદિ વ્રત માટે લગવાનની આજ્ઞા પ્રાપ્ત કરવી આદિ સવ વર્ણન જાણવું, અને સ્કન્દક ઋષિની માફક જ એ જાલિકુમાર અણુગાર સ્થવિરાની સાથે વિપુલાચલ પ`ત ઉપર ગયા. અહી વિશેષ આટલું જાણવું કે એએએ સાળ વર્ષે ચારિત્રપાલન કરી અન્ત સમયમાં ઔદારિક શરીરને છોડી ઉર્ધ્વ ગતિ કરતાં ચન્દ્રમાથી લઇ સૌધર્માં ઇશાન આદિ સ્મરણ અચ્યુત પંત ખારેય દેવલાક તથા નવ ચૈવેયક વિમાનાને મેલ ઘી વિજય’ નામે અનુત્તર વિમાનમાં વૈમાનિક દેવ રૂપે ઉત્પન્ન થયા. (સૂ॰ ૫) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૧
SR No.006437
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy