________________
કરું છું, અને ક્રોધ, માન, માયા, લેભ, યાવત્ મિથ્યાદર્શનશલ્ય સુધીનાં અઢાર પાપના યાજજીવન પ્રત્યાખ્યાન કરું છું. આ ઉપરાંત સર્વથા ચાર પ્રકારના આહારને ચાવજજીવ પ્રત્યાખ્યાન કરૂં છું .
જે હું આ ઉપસર્ગથી બચું તે મારે આગાર છે, અને જો હું ન બચી શકું તે સર્વ પ્રકારના પ્રત્યાખ્યાન મેં કરી જ લીધા છે તે જાવજીવ રહેશેજ. એમ મનમાં નિશ્ચય કરીને સુદર્શન શેઠ સાગારી અનશન ધારણ કરી કાર્યોત્સર્ગ કરીને બેસી ગયા (સૂ૦ ૧૩)
યક્ષ દ્વારા અર્જુન માલી કે શરીર કો ત્યાગ
ત્યારપછી તે મુદગરપાણિયક્ષ એક હજાર પલનો ભારી લોઢાનું સુગર ફેરવતા થકે જ્યાં સુદર્શન શ્રમણોપાસક હતા ત્યાં આવ્યે આવીને તે સુદર્શન શેઠને કોઈપણ પ્રકારે પિતાના પરાક્રમથી કષ્ટ આપી શકે નહિ. તે મુદ્દગરપાણિયક્ષ સુદર્શન શ્રમણોપાસકની ચારે બાજુ ફરતે થકે જ્યારે કેઈપણ પ્રકારે તેના ઉપર પોતાનું બળ ચલાવી ન શક્યું ત્યારે તે યક્ષ સુદર્શન શ્રમણોપાસકની પાસે આવીને ઉભું રહી ગયું અને અનિમેષ દૃષ્ટિથી તેની સામે ઘણા વખત સુધી જોઈ રહ્યો. ત્યારપછી તે યક્ષ અર્જુનમાલીના શરીરને છેડી હજાર૫લના લેઢાના મુગરને લઈ જે દિશામાંથી તે આવ્યું હતું તે દિશામાં ચાલ્યા ગયે (સૂ૦ ૧૪)
સુદર્શન ઔર અર્જુનમાલી કા પરિચય
અનમાલીએ યક્ષના ઉપસર્ગથી મુક્ત થતાં જ “ધ” એવા અવાજની સાથે પૃથ્વી ઉપર પડી ગયે. તે સમયે સુદર્શન શેઠે પિતાને ઉપસર્ગ રહિત જાણીને પિતાની પ્રતિજ્ઞાને પાળી અને તે પડેલા અજુનમાલીને સચેષ્ટ કરવા માટે પ્રયત્નશીલ થયા, જેથી તે અર્જુનમાલી થોડા સમય પછી સ્વસ્થ થઈને ઉભે થયે અને સુદર્શન શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! આપ કોણ છે? અને કયાં જઈ રહ્યા છે? આ સાંભળી સુદર્શન શ્રમણોપાસકે અનમાલીને કહ્યું- હે દેવાનુપ્રિય! હું જીવાદિ નવ તને જાણવાવાળે સુદર્શન નામે શ્રમણોપાસક છું, અને હું ગુણશિલક ઉદ્યાનમાં પધારેલા શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરવા જઈ રહ્યો છું. (સૂ) ૧૫)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૫૧