SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવામાં આવે છે. બીજા સિદ્ધાંતકારોએ પણ આ બધાને નિઃશ્રેયસ અને સ્વર્ગના કારણભૂત ધર્મનું મૂળ બતાવ્યું છે. એથી જે આગમથી અવિરુદ્ધ છે કાળ વગેરેની આરાધના મુજબ જે આરાધિત હોય છે અને જે મૈત્રી વગેરે ચાર ભાવનાઓથી યુક્ત છે એવું અનુષ્ઠાન જ ધર્મ છે. એવા જ ધર્મની આરાધના કરવા માટે ગણધર વગેરેને આદેશ છે. - ભાવાર્થ-તીર્થકર કથિત આગમમુજબ આચરાયેલા અનુષ્ઠાનનું નામ ધર્મ છે. એનો અર્થ આ પ્રમાણે ફલિત થયા છે કે જે અનુષ્ઠાનમાં તીર્થંકર પ્રભુ વડે કથિત આગમથી વિરોધ જણાતું નથી તે જ ધર્મ છે. તેમજ પ્રીતિ, ભક્તિ અને અસંગ રૂપ અનુષ્ઠાનેમાં આ લક્ષણની પ્રાપ્તિ પણ હોતી નથી કેમકે ત્યાં પણ આ લક્ષણને સદ્ભાવ મળે છે. “ વાવનાનુદાનં ઘ” આ જાતના કથનમાં “રેવા પ્રવૃત્તિઃ ”ની જેમ પ્રાજ્ય અર્થમાં પંચમી વિભક્તિ થઈ છે. એટલા માટે જે પ્રવૃત્તિનું પ્રયોજ્ય વચન છે તે ધર્મ છે. (ાવના કુકાન ધર્મ) અહીંથી માંડીને વીતિ મ િ સંઘાનુકાન વગેરે સુધી લખવાની આવશ્યકતા જણાતી નથી, કેમકે વચનાનુષ્ઠાન ધર્મને અર્થ વચન મુજબ થનાર અનુષ્ઠાન ધર્મ છે. આમાં કોઈ પણ જાતને દેષ નથી. - કિચ–હિંસા વગેરે પાંચ પાપને પરિત્યાગ ધર્મસિદ્ધિનું ચિહ્ન છે. આ જાતની માન્યતા જૈનીઓની છે. શાસ્ત્રાતરમાં પણ એ જ વાત સ્પષ્ટ કરવામાં આવી છે – औदार्य दाक्षिण्यं पापजुगुप्ताऽथ निमलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः प्रायेण जिनप्रियत्व च ॥ ( षोडशग्रंथ ४ प्रकरण ) ઉદારતા–હદયની વિશાળતા, દાક્ષિણ્ય-બધા છોને અનુકૂળ થઈ પડે. તેવી પ્રવૃત્તિ, પાપ જુગુપ્સા-પાપને ત્યાગ, નિર્મળ બોધ – તત્વજ્ઞાન, અને જિનપ્રિયત્વ આ પાંચે ધર્મસિદ્ધિનાં લક્ષણે છે, હવે આપણી સામે આ વાત વિચાર કરવાગ્ય છે કે જ્યારે પાપને પરિહાર કરવો એ ધર્મસિદ્ધિનું લક્ષણ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩ ૧૬૨
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy