SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ બધા સંયમી લોકેએ સંપૂર્ણપણે સાવધાન થઈને જ ચાલવું જોઈએ અને પૂર્ણ સાવધાન થઈને જ બેસવું જોઈએ. ઉઠવા બેસવામાં તેમજ આહાર વગેરે કિયા કરવામાં અને બેલવા ચાલવામાં હંમેશા તેને પિતાની યત્નાચારમય પ્રવૃત્તિ ઉપર જ લક્ષ્ય આપવું જોઈએ. આ રીતે પ્રવૃત્તિ કરવાથી તે સાધુ પાપ-કર્મને બંધ કરતો નથી. એથી હે મેઘકુમાર ! તમે “સંચમં નિમતશ્ચર” આ સકલ સંયમની સારી રીતે યત્નાચારમયી પ્રવૃત્તિ વડે રક્ષા કરો-આનું પાલન કરો. આ રીતે સૂત્રકારે સંયમની આરાધના વિષે પ્રભુની આજ્ઞાનું પ્રદર્શન કર્યું છે. હવે તપની આરાધના કરવામાં તેઓશ્રીની આજ્ઞા શી છે? તે સૂત્રકાર અહીં સ્પષ્ટ કરે છે-“વાઘાણી વચ સોનામહું” ( તાવૈwાસ્ટિવ દ્રિતીય કથાન) હે મુનિ ! સુકોમળતાને ત્યજીને આતાપના સ્વીકારે. આતાપના રૂપ તપધર્મની આરાધનાથી મુનિ પિતાના શરીરને કૃશ ( દુર્બળ) બનાવે અને શારીરિક સુકુમારતાને મેહ ત્યજી દે. ઉત્તમ ક્ષમા વગેરે શ્રમણના દશ પ્રકારના ધર્મ કહેવામાં આવ્યાં છે તેઓમાં તપનું કથન છે. એથી તપમાં ધર્મરૂપતા સિદ્ધ થાય જ છે. સૂત્રકારે સમવાયાંગ સૂત્રમાં શ્રમણના દશ પ્રકારના ધર્મનું કથન કરતાં આ પ્રમાણે જ કહ્યું છે— “રવિદે તમામે ---હૃત્તી, મુજી, અરે, મ, શ્રાવે, સને જંગ, તરે વિચાર વિમરવાસે !” આ અહિંસા વગેરે મહાવ્રતોમાં ધર્મરૂપતા એટલા માટે સિદ્ધ થાય છે કે તેમાં જીનેન્દ્ર પ્રભુની આજ્ઞા પ્રયોજ્ય પ્રવૃત્તિ રૂપ ધર્મના લક્ષણનો સદુભાવ છે. આ રીતે ધર્મનું લક્ષણ અને તેના લક્ષ્યભૂત અહિંસા વગેરેનું કથન છે. અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ રૂપ છે. દશવૈકાલિક સૂત્રમાં એ જ વાત કહેવામાં આવી છે-“ધો અંજામુદ્રિ-હિંસા સંગનો તવો સેવા વિ તં નHસંતિ કરણ ઘભે રચા મળો” ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા સંયમ અને તપ એ જ ધર્મ છે. જેનું અન્તાકરણ આ ધર્મથી . સદા યુક્ત રહે છે તેને દેવે પણ નમન કરે છે. શંકા–અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મને જે ઉત્કૃષ્ટ મંગળ રૂપ કહેવામાં આવ્યા છે તે આજ્ઞાસિદ્ધ છે. માટે કહેવામાં આવેલ છે કે યુકિતથી સિદ્ધ છે એટલા માટે કહેવામાં આવે છે ? ભાવાર્થ-અહિંસા વગેરેમાં ઉત્કૃષ્ટ મંગળતા કયા પ્રમાણથી સિદ્ધ છે? આગમથી કે અનુમાનથી? ઉત્તર–આમાં ઉત્કૃષ્ટ મંગલરૂપતા આગમ અને યુતિ બંનેથી સિદ્ધ છે. જિનેન્દ્રનાવચન હોવાથી આમાં આજ્ઞા સિદ્ધતા છે તેમજ અનુમાનથી પ્રસિદ્ધ હવા બદલ યુક્તિ સિદ્ધતા છે. “ઘો મંજિજ” વગેરે ગાથા વડે આમાં જિનેન્દ્ર પ્રવચનરૂપ આગમતા પહેલાં બતાવવામા આવી જ છે અને અનુ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩ ૧૩૯
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy