SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ वीइवइस्स जहा व से धण्णे सत्थवाहे एवं खलु जब ! समणेण जाव સંvi વોટ્સ vrinક્સથરા ગામ / રિજિ) એવા છે જ અનાદિ અનંત રૂપ ચતુર્ગતિના દીર્ધમાગવાળા ભવાટવીને એગશે જેમ કે ધન્ય સાર્થવાહ પોતાના સદાચરણથી સિદ્ધિ મેળવશે. આ દૃષ્ટાંત અહીં આરીતે રજૂ કરવામાં આવે છે– આ મનુષ્ય જગત પાટનગર જેવું છે આ જગત્માં ધન્યસાર્થવાહની જેમ સાધુરૂપ જીવો છે. શબ્દ વગેરે વિષયોમાં પ્રવૃત્ત થતું શરીર વિજય ચેરની જેમ છે. ઉત્તમ સુખ આપનાર હવા બદલ સંયમ જ આ મનુષ્ય જગત્ માટે પુત્રરૂપ છે. સમિતિ, ગુપ્તિ, તપ તેમજ શીલ આ બધા આભરણે છે. જગત્ જીર્ણ ઉદ્યાન જેવું છે. આ જગત્ આસવધર્મો છે તે જ જીર્ણ કૂવે છે. અવસ, પાસસ્થ વગેરેની પ્રવૃત્તિરૂપ નિકુંજથી વીંટળાયેલે માયામૃષાવગેરે રૂપ–માલુકાકક્ષ છે આમાં અઢાર પાપસ્થાનમાં ભેદ અને ઉપભેદ જ સાપ છે. જીવ અને શરીરનું અવિભાજ્ય રૂપે જે અવસ્થાન છે તે જ “હડિબંધન” છે. અહીં કર્મનું પરિણામ રાજા અને કમની પ્રકૃતિએ રાજપુરુષ છે. સ્વલ્પ અપરાધ મનુષ્યના આયુષ્યના બંધને હેતુ છે. મળમૂત્ર પરિત્યાગરૂપ પ્રતિલેખના વગેરે કિયાઓ છે. શરીર જ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ કરવા માટે પ્રવૃત્ત થાય છે. પણ જ્યાં સુધી આ શરીરને આહાર વગેરે અપાતો નથી ત્યાં સુધી આ શરીર મળમૂત્રના ત્યાગ માટે પ્રવૃત્ત થતું નથી. વિજયારના સ્થાને મૂકાએલા આ શરીરને જે આહાર વગેરે આપવામાં આવે છે, તે પ્રતિલેખના વગેરે ક્રિયાઓ કરાવવા માટે જ આપવામાં આવે છે. પાંથકદાસ ચેટક જે ઉત્તમ સ્વભાવવાળે માણસ સાધુજજનના સ્થાને મૂકી શકાય. કેમકે તે ભેજન વગેરે લાવીને આપે છે. ભદ્રા સાથેવાવાહીની જેમ આચાર્ય મહારાજ છે. કેમકે તેઓ આહાર વગેરેથી પોતાના શરીરને પુષ્ટ બનાવનારા સાધુઓને ઉપાલંભ (ઠપકે) આપે છે. તે વખતે સાધુઓ આહારનું કારણક્ષુધા (ભૂખ) વેદનાથી નિવૃત્તિ બતાવે છે ત્યારે તેઓ (આચાર્ય) સંતુષ્ટ થઈ જાય છે. સંયમ યાત્રાના નિર્વાહ માટે એટલે કે સંયમથી જીવન પસાર કરવા માટે જ સાધુઓ આહાર કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ બીજા અધ્યયનને આ નિષ્કર્ષી રૂપે અર્થ સ્પષ્ટ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧ ૨૫૨
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy