SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અહિયાં સમજવું જોઈએ. જેમકે–એક સમયમાં તેઓ કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને એવું કહ્યું કે-હે ગૌતમ! એક સમયમાં તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ રીતે તે જીવે કયા સંહનનવાળા હોય છે? આ પ્રશ્નનો ઉત્તર એજ છે કે–તેઓ સેવા સંહનન વાળા હોય છે. અવગાહના દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જવા ન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક હજાર ચજન પ્રમાણુની અવગાહન વાળા હોય છે. સંસ્થાન દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ હંડક સંરથાનવાળા હોય છે. લેહ્યાદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તર રમાં તેઓ કૃષ્ણ, નીલ અને કાપોતિક એ ત્રણ સ્થાવાળા હોય છે. દષ્ટિ. દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સમ્યક્ દષ્ટિવાળા પણ હોય છે, અને મિથ્યા પ્રષ્ટિવાળા પણ હોય છે સમ્યગૂ મિથ્યા દષ્ટિવાળા દેતા નથી, જ્ઞાન દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ નિયમથી બે જ્ઞાનવાળા અને બે અજ્ઞાન વાળા હોય છે. ગદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ વચન અને કાય યોગવાળા હોય છે. તેઓ મને વેગ વાળા દેતા નથી. ઉપરાગદ્વાર સંબંધી પ્રશ્નના ઉંત્તરમાં તેઓ સાકાર અને અનાકાર એમ બંને પ્રકારના ઉપયોગ વાળા હોય છે. સંજ્ઞાકાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ આહાર (૧) ભય (૨) મૈથુન (૩) અને પરિગ્રડ (૪) એ રીતે ચાર સંજ્ઞાઓવાળા હોય છે. કષાયદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ ક્રોધ, માન, માયા, અને લોભ આ ચારે કષાયોવાળા હોય છે. ઇંદ્રિયદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ પાંચે ઈદ્રિયોવાળા હોય છે. સમુદ્રઘાત દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ વેદના કષાય, અને મારણતિક એ ત્રણ સમુદ્દઘાતવાળા હોય છે. વેદનાહાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ શાતા અને અશાતા એમ બેક પ્રકારની વેદના વાળા હોય છે. વેદદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ નપુંસક વેદકાળા હોય છે. તેઓ સ્ત્રીવેદ અને પુરૂષ વેવાળા દેતા નથી. સ્થિતિદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિની હોય છે. અધ્યવસાય સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓને પ્રશસ્ત અધ્યવસાય પણ હોય છે અને અપશસ્ત અધ્યવસાય પણ હોય છે. અનુબંધ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓને સ્થિતિ પ્રમાણેનો જ અનુબંધ હોય છે. અર્થાત્ જઘન્યથી એક અંતર્મુહૂર્તને અને ઉત્કૃષ્ટથી એક પૂર્વકેટિને અનુબંધ હોય છે. ભાવની અપેક્ષાથી જઘન્યથી બે ભવોને ગ્રહણ કરવા રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભ ગ્રહણ કરવા રૂપ કાયસંવેધ હોય છે. જો કે આ તમામ કથન અહિયાં મૂળ સૂત્રમાં કહેલ નથી, તે પણ પૃથ્વીકાયના અતિદેશ (ભલામણથી) થી આવેલ યાત્પદથી આ કથનને સંગ્રહ કરાવે છે. કાળની અપેક્ષાથી કાયસધ-જઘન્યથી બે અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી પૂર્વ કે2િ પૃથક્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગને છે. તે આ શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ७८
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy