SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અનંત જીવોનું ઉદ્વર્તન (બહાર નીકળવું) થતું નથી. કેમકે બાકીના બધા કાયવાળા અસંખ્યાત હોય છે. તથા અનંત જીવોને ઉત્પાત વનસ્પતિ કાયિકેમાં જ થાય છે. કેમકે બીજી કાયવાળા અનંત પણાના અભાવવાળા હોય છે. અહિયાં પહેલા, બીજા, ચોથા અને પાંચમા ગામોમાં અનુષ્ટ સ્થિતિના અભાવથી અનંત જીવે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તથા આ શિવાયના ત્રીજા, છઠ્ઠ, સાતમા આઠમા અને નવમા આ પાંચ ગમમાં ઉત્કૃષ્ટરિથતિના સદૂભાવથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તથા આ પહેલા બીજા, ચેથા અને પાંચમા ગમમાં અનુત્કૃષ્ટ સ્થિતિના સદ્દભાવથી ભવાદેશની અપેક્ષાથી ઉત્કૃષ્ટથી અનંત ભવ ગ્રહણ કહ્યા છે, અને કાળની અપેક્ષાથી અનંતકાળ કહેલ છે. આ શિવાય ત્રીજા, છઠ્ઠા, સાતમા અને નવમા ગમમાં આઠભવ ગ્રહણ કહ્યા છે. કેમકે તેમાં ઉત્કૃષ્ટસ્થિતિને સદ્દભાવ કહેલ છે. એ જ “મવાળ” ઈત્યાદિ પ્રકરણદ્વારા બતાવેલ છે. ભવની અપેક્ષાથી જઘન્યથી બે ભવ ગ્રહણ હોય છે અને ઉત્કૃષ્ટથી અનંતભવ ગ્રહણ હોય છે. તથા કાળની અપેક્ષાથી જઘન્યથી બે અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. આ પ્રમાણે અહિયાં કાયસંવેધ કહ્યો છે. “ઘવ. ફાં નાવ ડગા’ આ રીતે તે વનસ્પતિક જીવ આટલા કાળ સુધી વનસ્પતિકાય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળસુધી તે તેમાં ગમનાગમન કરે છે “જેસા વંજ માં ચટૂમાળીયા તહેવ” ઉત્કૃષ્ટ સ્થિતિના સદુભાવથી બાકીના પાંચ ગમેમાં એટલે કે-ત્રીજા, પાંચમા છા, સાતમા અને નવમા ગમમાં આઠભવ ગ્રહણ કહેલ છે. “નવરં કાળે પરંતુ વિશેષપણું એ છે કે અહિયાં સ્થિતિ અને કાયસંવેધ એ જુદા જુદા કહા છે. સઘળા ગમેમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી મૂલ સૂત્રમાં કહ્યા પ્રમાણે છે. કાયસંવેધ ત્રીજા અને સાતમાં ગમેમાં જઘન્યથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષનો છે, અને ઉત્કૃષ્ટથી આઠ ભવની ૧૦ દસ હજાર વર્ષની સ્થિતિ હોવાથી ૮૦ એંસી હજાર વર્ષ છે. છઠ્ઠા અને આઠમા ગમેમાં જઘન્યથી તે અંતર્મુહૂર્ત અધિક ૪૦ ચાળીસ હજાર વર્ષને છે. તથા નવમા ગમમાં જ બન્યથી તે ૨૦ વીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૮૦ એંસી હિજાર વર્ષને છે. રેક મં! રેવં કરે જિ' હે ભગવન વનસ્પતિકાય વાળા જીના ઉત્પાત, પરિમાણ વિગેરે વિષયમાં આપી દેવાનું પ્રિયે જે પ્રમાણે કહ્યું છે, શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૫૫.
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy