________________
ગધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સેવાર્તા સંહાન વાળા હોય છે, શરીરની અવગાહના દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જઘન્ય અને ઉત્કૃષ્ટથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની અવગાહન વાળા હોય છે. સંસ્થાન દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મસૂરની દાલ જેવા આકાર વાળા હોય છે. તે પ્રમાણે કહેલ છે. લેક્શદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ ૪ વેશ્યાવાળા હોય છે, દષ્ટિદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સમ્યગુદષ્ટિવાળા હોતા નથી. મિશ્રદષ્ટિવાળા પણ હોતા નથી. પરંતુ મિદષ્ટિવાળા જ હોય . નાનદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જ્ઞાની હોતા નથી. પરંતુ નિય. આથી મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન વાળા હોય છે. યોગદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ મને ગવાળા અને વચન ગવાળા હોતા નથી. પણ કેવળ એક કાયયેગવાળા હોય છે. ઉપયોગ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સાકાર અને અનાકાર અને પ્રકારના ઉપયોગવાળા હોય છે. સંજ્ઞાદ્વાર સંબંધી આજના ઉત્તરમાં તેઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચારે પ્રકારની સંજ્ઞાઓ વાળા હોય છે. કષાય દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ ક્રોધ, માન, માયા, અને લાભ આ ચારે પ્રકારના કષાયોવાળા હોય છે. ઇંદ્રિય દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં એક સ્પર્શ ઇંદ્રિયવાળા જ હોય છે. સમુદ્રઘાત દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ વેદના, કષાય, અને મારશાન્તિક એ ત્રણ સમુદુઘાતવાળા હોય છે. વેદના દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ શાતા. અને અશાતા બન્ને પ્રકારની વેદનાવાળા હોય છે. વેદકાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ પુરૂષ વેદ અને વેદ વાળા હતા નથી પરંતુ નપુંસક વેદવાળા જ હોય છે, અધ્યવસાય દ્વારમાં તેઓ પ્રશસ્ત અને અપ્રશરત બને પ્રકારના અધ્યવસાયવાળા હોય છે, એ પ્રમાણેનું કથન સમજવું. સ્થિતિ દ્વારમાં, અનુબંધદ્વારમાં અને કાયસંવેધદ્વારમાં પૂર્વોક્ત કથનની અપેક્ષાથી જે જુદાપણુ છે, તેને સૂત્રકાર આ પ્રમાણેના સૂત્રપાઠથી પ્રગટ કરે છે-“બજરં કિ વે જાળઝા” અહિયાં સ્થિતિ જઘન્યથી એક અતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની છે. અનુબંધ સ્થિતિ પ્રમાણેને હોય છે. કાયસંવેધ અકાયિક જીવન-મરીને પૃથ્વીકાવિકોમાં ઉત્પન્ન થવું અને પાછા ત્યાંથી મરીને અપૂકાયિકમાં ઉત્પન્ન થવા રૂપ કાયસંવેધ જઘન્યથી ભવની અપેક્ષાથી બે ભને ગ્રહણ કરવા રૂપ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભલેને ગ્રહણ કરવા રૂપ છે. તથા કાળની અપેક્ષાથી તે જઘન્યથી બે અંતમુહૂર્ત પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ રૂપ છે. આ રીતે આ અપ્રકાયિક જીવ અપૂકાયિક ગતિનું અને પૃથ્વીકાયિક ગતિનું સેવન કરે છે. એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે. આ પહેલે ગમ છે. ઈત્યાદિ પ્રકારથી આઠે ગમે સમજી લેવા પરંતુ બાકીના આઠ ગામમાં કાયસંવેધ ઉપગપૂર્વક કહે જોઈએ. કરે જેa” અપકાયમાં ચાવીસમા
શ્રી ભગવતી સૂત્ર: ૧૫
૫૧.