SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ લેવું જોઈએ. પરંતુ આ છઠ્ઠા ગમમાં પહેલા ગામના કથન કરતાં જે જુદાપણું છે. તે બતાવવા સૂત્રકાર કહે છે કે-“નવર ધા રો વા સિન્નિ વા” અહિયાં પરિમાણ દ્વારમાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં જઘન્યથી એક સમયમાં એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. અહિયાં આ પ્રમાણે કહેવું જોઈએ. પહેલા ગમમાં ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં એવું કહ્યું છે કે એક સમયમાં ત્યાં કેઈ પણ જાતના અંતર વિના અવિચ્છિન્ન રૂપથી–અસંખ્યાત જી ઉત્પન્ન થાય છે. પરંતુ અહિયાં તેમ કહ્યું નથી અહિયાં આ છઠ્ઠા ગમમાં તે એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. જેથી પહેલાં ગમ કરતાં આ ગામમાં અંતર–જુદાપણું સ્વતઃ આપ આપ આવી જાય છે, પહેલા ગમ પ્રમાણેનું કથન અહિયાં અનુબંધ દ્વાર સુધીનું જ ગ્રહણ કરવું જોઈએ. તે પછીનું જે કાયસંવેધ દ્વાર છે, ત્યાં સુધીનું કથન લેવાનું નથી. એજ વાત સૂત્રકારે “મવારે બન્ને હો મવાળાડું ઢાળે કળ જાવીરં વારણારૂં બતોમુત્તમદમહિયારું આ સૂત્રપાઠથી પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવવામાં આવ્યું છે કે-અહિયાં કાયસંવેધ ભવની અપેક્ષાથી બે ભવોને ગ્રહણ કરવા રૂપ જઘન્યથી છે. અને કાળની અપેક્ષાથી તે કાયસંવેધ જઘન્યથી અંતમુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષનો છે. અને ઉત્કૃષ્ટથી તે ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮ હજાર વર્ષને છે. આટલા કાળ સુધી તે જીવ તે વૃશ્વિકાયિક રૂપ ગતિનું સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. અહિયાં કાયસ વેધ ઉશ્નટથી ચાર અંતમૂહર્ત અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષને કહ્યો છે. તે જઘન્ય સ્થિતિવાળા પૃથ્વિકાયિક અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વિકાયિક ત્યાં ચાર વાર ઉત્પન્ન થવાને કારણે કહેવામાં આવેલ છે. જેથી બાવીસ હજારને ૪ ચાર ગણા કરવાથી ૮૮ અઠયાસી હજાર થઈ જાય છે. આ રીતે આ છઠ્ઠો ગમ કહ્યો છે. હવે સાતમાં ગમનું કથન કરવામાં આવે છે.–“ો રેવ અqના કોજારિબો ગાળો' એજ પૃથ્વીકાયિક જીવ જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન થાય છે તે તે સંબંધમાં અહિયાં “તામરિ નિવષે માળિવવો? આ સાતમે ગમ સંપૂર્ણ રીતે ત્રીજી ગમ પ્રમાણે જ છે. તેમ સમજવું. પરંતુ જે વાતમાં ત્યાંના કથન કરતાં અંતર-ફેરફાર છે તે આ પ્રમાણે છે. “નવર अपणा से ठिई जहन्नेण बावीस वाससहस्साई उकोसेण वि बावीस वाससह શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy