SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ ગતિમાંથી આવીને કે દેવગતિથી આવીને ઉત્પન્ન થાય છે? અર્થાત્ કઈ ગતિમાંથી આવીને જીવ સૌધર્મ નામના દેવલેકના દેવ બને છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કે રૂપિયaag' હે ગૌતમ ! સૌધર્મ સ્વર્ગના દેવ મનુષ્ય ગતિમાંથી અને તિય ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી તેનો ઉત્પદ કહેવો જોઈએ. ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન! જે સૌધર્મ વર્ગના દેવ તિય"ચ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે તે કેવા પ્રકારના તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ સંજ્ઞી તિર્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અસંજ્ઞી નિયામાંથી આવીને ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તેઓ સંસી તિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી તિય ચે માંથી આવીને ઉત્પન્ન થતા નથી. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પૂછે છે કે-હે ભગવન્! જે સંજ્ઞી તિર્ય. ચોમાંથી આવીને સૌધર્મ દેવે ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી તિય ચેમાંથી આવીને ઉત્પન થાય છે? કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી તિર્યોમાંથી આવીને સૌધર્મ સ્વર્ગના દેવપણથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! સંખ્યાત વર્ષની આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા એમ બંને પ્રકારના સંસી તિમાંથી આવીને તેઓ સૌધર્મ સ્વર્ગના દેવરૂપે ઉત્પન્ન થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–સાંજનવાણાસન્નિ पचिंदियतिरिक्ख जोणिए णं भंते ! जे भविए सोहम्मदेवेसु उवबज्जित्तए' मापन જેઓ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્થ"ચ નિવાળા જીવ સૌધર્મ દેવેમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, “રે મં! ફાસ્ટટ્રાસ વાવને તે કેટલા કાળની સ્થિતિવાળા સૌધર્મ દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“નોરમા ! હે ગૌતમ! “ જો ઘર મgિg” તે જઘન્યથી એક પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. અને “તિઝિયમદિર, વવવજ્ઞા' ઉત્કૃષ્ટથી ત્રણ પપમની સ્થિતિવાળા સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. સૌધર્મ દેવલોકમાં જઘન્ય આયુષ્ય ફક્ત એક પળેપમનું છે. તેનાથી વધારે જઘન્ય આયુષ્ય ત્યાં હોતું નથી. એ જ રીતે સૌધર્મ દેવકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય બે સાગરોપમનું છે. પરંતુ જે તિર્યંચ નિવાળા જીવે છે, તેઓ ઉકષ્ટથી ત્રણ પલ્યોપમની આયુષ્યને લઈને જ ત્યાં ઉત્પન્ન થાય છે. કેમકે પોતાના આયુષ્યથી વધારે દેવ આયુષ્યનો તે તિય બંધ કરતા નથી. તેથી ઉત્કૃષ્ટથી ત્રણ પાપમની આયુષ્યવાળા તિયચનિક ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની આયુષ્યવાળા જ સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થાય છે તેમ કહેવામાં આવ્યું છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૫ ૧ ૩૫
SR No.006429
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages297
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy