________________
કલાય વિગેરેના મૂળ રૂપથી જે જે ઉત્પન્ન થાય છે, તેઓ શું નારકીયેથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ઉદ્ય મૂરિયા રણ વર્ષમાં માળિયા” હે ગૌતમ પહેલાં કહ્યા પ્રમાણે અહિયાં મૂળ વિગેરે સંબંધી દસ ૧૦ ઉદ્દેશાઓ સમજવા અને જાહેર સાહીમાં નિરવ તર’ શાલીના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, તે જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કેમૂલ, કન્દ, સ્કંધ, છાલ, ડાળ, પ્રવાલ, કૂંપળ, પાન, પુષ્પ, ફળ અને બીજ આ પ્રમાણેના દસ ઉદ્દેશાઓ થાય છે, પહેલા મૂદ્દેશક મૂળ સંબંધી ઉશાને લઈને ગૌતમ સ્વામીએ અહિયાં એ પ્રશ્ન કરેલ છે કે હે ભગવાન કલાય, વિગેરેના મૂળ રૂપથી જે જે ઉત્પન્ન થાય છે, તેઓ ક્યાંથી આવીને ઉત્પન થાય છે ? શું તેઓ નરકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મતુથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે ? અથવા દેવોમાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તે જીવે નરકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ તિર્યંચ ગતિથી અથવા મનુષ્ય ગતિથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે. તેઓ દેવગતિમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. કારણ કે દેવને ઉત્પાત-ઉત્પત્તિ મૂળ વગેરે રૂપ અશુભ સ્થાનમાં થતું નથી.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવાન એક સમયમાં તે જીવે કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! જઘન્યથી એક, બે અથવા ત્રણ જ ઉત્પન્ન થાય છે. તથા ઉત્કૃષ્ટથી સંખ્યાત અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળમાં પણ તેઓને ત્યાંથી પુરા બહાર કહાડી શકાતા નથી. તેટલા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ જીવના શરીરની અવગાહના કેટલી વિશાળ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું -હે ગીતમ! જઘન્યથી એક આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ પ્રમાણની અવગાહના (લંબાઈ પહોળાઈ) હોય છે. તે જીવ જ્ઞાનાવરણીય વિગેરે કમેને બંધ કરનારા હોય છે ? કે અબંધક–બંધ નહીં કરનારા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ બંધક–બંધ કરનારા જ હોય છે, અબંધક હોતા નથી. એજ રીતે તેઓ વેદક જ હોય છે. અવેદક હતા નથી. ઉદયી–ઉદયવાળા જ હોય છે. અનુદયી–ઉદય વિનાના હોતા નથી. ઉદીરક જ હોય છે, અનુદીરક હોતા નથી. આ પ્રકારનું આ બધું કથન શાલી વિગેરેના મૂળના પ્રકરણમાં જે રીતે કહેવામાં આવ્યું છે, તેજ પ્રમાણેનું બધું કથન અહિયાં પણ સમજવું.
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન તે જીવો છે કુણુ વેશ્યાવાળા હોય છે ? અથવા નીલ ગ્લેશ્યાવાળા હોય છે કે કાતિલે
શ્યાવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! તેઓ કૃષ્ણ, નીલ, અને કાપોતિક એ ત્રણે લેશ્યાઓવાળા હોય છે. લેશ્યા સંબંધી
શ્રી ભગવતી સૂત્ર: ૧૪
७४