SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કન્યાદિ કે અશ્ચિત જીવોં કા નિરૂપણ શાલી વિગેરેના કંદના આશયથી રહેલા ની ઉત્પત્તિ વિગેરેનું નિરૂપણ કરીને હવે આ ત્રીજા ઉદ્દેશામાં અંધ વિગેરેના આશ્રયથી રહેલા છના સમૃત્પાત વિગેરેનું નિરૂપણ કરવામાં આવશે-તે કારણથી આ સંબંધથી આવેલા આ ત્રીજા ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. p4 dધે વિ’ ઈત્યાદિ– ટીકાઈ—કદની માફક સકધમાં પણ “ ગો નેચવ્યો ઉદ્દેશ સમજ. અર્થત કંદ ઉદ્દેશકના વર્ણન પ્રમાણે જ આ ધ સંબંધી ત્રીજા ઉદેશનું વર્ણન પણ સમજવું. આ વિષયમાં પણ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-શાલિ, વ્રીહી ઘઉં, યવ અને યવયવ સંબંધી જે જીવે છે, તે જ્યારે આ શાલી વિગેરેના સંબંધથી ઉત્પન્ન થાય છે, તે તે જ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? શું નરકથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા બીજી કોઈ ગતિથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! શાલી વિગેરેના સકધમાં જે જી ઉત્પન્ન થાય છે, તે જ તિર્યંચગતિથી અથવા મનુષ્ય ગતિથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, તે રકંધમાં એક સમયમાં કેટલા જ ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! જઘન્યથી એક, અથવા બે, અથવા ત્રણ, જે ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત છે ત્યાં ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની અવગાહના કેટલી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેહે ગૌતમ ! તેના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી નવ ધનુષ પ્રમાણુ હોય છે. એ જ રીતે જ્ઞાનાવરણીય કર્મને બંધપણુમાં અને અબંધપણામાં અને કૃષ્ણ વિગેરે લેશ્યાના સંબંધમાં વિગેરે વિષયમાં પ્રશ્નોત્તર સમજવા એજ રીતે “કધમાં તેઓની સ્થિતિ કેટલા કાળ સુધી રહે છે? આ કથનથી લઈને સઘળા પ્રાણું, સઘળાભૂત, સમસ્ત જીવ, સઘળા સત્વ, આ બધા પહેલાં સ્કંધમાં ઉત્પન્ન થયા છે? આટલા સુધીના પ્રશ્ન અને ઉત્તર સમજી લેવા. “રેવું મારે શૈવ મરે! ઈત્યાદિ હે ભગવદ્ સ્કંધમાં રહેલા જીવોના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે કહ્યું છે, તે સર્વથા સત્ય જ છે. આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે આ પ્રમાણે કહીને ગૌતમસ્વામી પ્રભુને વંદના કરી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા. આજ પ્રમાણેના અભિશાપથી ત્વચામાં ૪, શાખામાં ૫, પ્રવાલમાં ૬, પત્રમાં ૭ જે ઉદ્દેશાઓ છે, તે ઉદ્દેશાઓ પણ મૂળથી લઈને પત્ર સુધીમાં ૭ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૭૦
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy