SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથનને સારાંશ આ પ્રમાણે છે કે-પૃથ્વિકાયિક જીમાં આ વિષય સંબંધી જે પ્રમાણેનું કથન કરેલ છે. તે જ પ્રમાણેનું તમામ કથન આ સંબંધમાં વાયુકાયિક જીવમાં પણ સમજવું. તે પહેલાં આહાર ગ્રહણ કરે છે. અને ઉત્પન્ન થયા પછી પણ તે આહાર ગ્રહણ કરે છે. તે પહેલાં ત્યાં ઉત્પન્ન થાય છે અને આહાર ગ્રહણ કર્યા પછી પણ ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે કહેવાનું શું કારણ છે? આ રીતના પ્રશ્નનું સમાધાન એ છે કે-મારણાતિકસમૃદુઘાતના ભેદથી આ બંને પ્રકારનું કથન સંગત થાય છે તેમ સમજવું અથાત જે પ્રષ્યિકાયિક જીવ ત્યાં દેશતઃ મારણાનિક સમુદુઘાત કરે છે, તે પહેલાં આહાર ગ્રહણ કરે છે, અને તે પછી ઉત્પન્ન થાય છે. તથા જે પૃવિકાયિક જીવ સર્વરૂપથી ત્યાં સમુદ્દઘાત કરે છે, તે પહેલાં ઉત્પન્ન થાય છે, અને તે પછી ત્યાં આહાર ગ્રહણ કરે છે. ઇત્યાદિ સઘળું કથન પહેલાં જે રીતે કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. “ કરા એ મને ઉત્તર ગૌતમસ્વામી પ્રભુના કથનમાં સ્વતઃ પ્રમાણપાગ બતાવવાના અભિપ્રાયથી એવું કહે છે કે-હે ભગવન આપ દેવોનપ્રિયે પ્રવિકાયિક જીવથી લઈને વાયુકાયિક જીવ સુધીના જવેમાં જે મારણ તિક સમુદૂઘાતને લઈને તેઓની ઉત્પત્તિ અને આહારના સંબંધમાં આ પૂર્વાપર રૂપથી જે વર્ણન કર્યું છે, તે તમામ કથન આપી દેવાનમિચે જે પ્રમાણે કહ્યું છે તેમજ છે. અર્થાત્ આપનું કથન દરેક રીતે સત્ય જ છે. આ પ્રમાણે કહીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા શૌતમસ્વામી પિતાના સ્થાને બિરાજમાન થઈ ગયા. તે સૂઇ ૨ નાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસત્રની યચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ૨૦-દા શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧ ૧
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy