SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિવાળા નાગકુમારાવાસમાં ઉત્પન્ન થાય છે, તે તેના સંબંધમાં પણ આ સઘળું કથન કહેવું અહિં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પાંચસે ધનુષની હોય છે. એ રીતે આ બીજો ગમ કહ્યો છે. એ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા નાગકુમારોને આવાસમાં જે ઉત્પન્ન થાય છે તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટિની આયુષ્યવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. અહિયાં પણ અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પાંચસે ધનુષ પ્રમાણુની જ છે. વિશેષપણ કેવળ એટલું જ છે કે-કાળની અપેક્ષાથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકાટિ સુધી મનુષ્ય ગતિનું અને નાગકુમારગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન કરે છે, આ રીતે આ મધ્યમત્રિકને ત્રીજે ગામ છે. આ રીતે પહેલેથી લઈને અહીં સુધીના છ ગમે થાય છે. અહિયાં સ્વયં સંજાત જઘન્ય કાળની સ્થિતિવાળા નાગકુમાર ગતિમાં ઉત્પત્તિના ઉત્પાદ વિગેરે કહ્યા, ૬ હવે સૂત્રકાર સ્વયં સંજાત ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યના નાગકુમારગતિમાં નીચે પ્રમાણેના ત્રણ ગમે થાય છે. તે બતાવે છે. “ વેર ઘણા પ્રશ્નોત્તવાદિષો કાળો’ આ પ્રમાણે સૂત્રપાઠી સત્રકારે કહ્યો છે આ સૂત્રય ઠથી એ સમજાવ્યું છે કે-તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિથી ઉત્પન્ન ય છે. અને તે નાગકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે તે સંબંધમાં પણ રિસ વિ રમgg &ા તલ ચેર કોdiaકિરૂણ” ત્રણે ગમમાં અસુરકમારોમાં ઉત્પન્ન થવાને ચોગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી મનુષ્ય સંબંધમાં જે પ્રમાણે કથન કર્યું છે, તે પ્રમાણેનું કથન અહિયાં કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-અસુરકુમારામાં ઉત્પન્ન થવાને ગ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષની આયુષ્ય. વાળા સંજ્ઞી મનુષ્યના સંબંધના છેલ્લા ત્રણ ગમે જે પ્રમાણે પ્રગટ કર્યા છે તે પ્રમાણે તે ત્રણે ગમે અહિયાં પણ કહેવું જોઈએ. “નવર' નામાદિ હવે નન્ના ” પરંતુ નાગકુમારની સ્થિતિ અને સંવેધ અહિયાં કહેવા જોઈએ. “તે હૈ જે સ્થિતિ અને કાયસંવેધ શિવાય બીજુ તમામ કથન ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્યના નાગકુમારેમાં ઉત્પાદ વિગેરેના કથન પ્રમાણે જ સમજવું. અહિયાં ત્રણે ગમેમાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂતિ (ગાઉ) પ્રમાણ છે. એ રીતને આ છેલલા ત્રિકને પહેલે અને આદિથી સાતમે ગમ છે. ૭ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૯૧
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy