SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પલ્યોપમ પ્રમાણ છે. આ રીતે તે જીવ એટલા કાળ સુધી તિર્યંચ ગતિન અને નાગકમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તિર્યંચ ગતિમાં અને નાગકુમાર ગતિમાં ગમનાગમન કરે છે. અહિયાં સંવેધ પદમાં કાલાદેશથી જે દેશોના પાંચ પલ્યોપમ કહેલ છે, તેમાં ત્રણ પાપમ તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિય ચ ભવ સંબંધી છે. અને બે દેશોન પલ્યોપમ નાગકુમાર ભવ સંબંધી છે. ૨૦ આ રીતે આ પહેલો ગમ કહ્યો છે. ૧ - હવે સૂત્રકાર બીજો ગમ કહેવા માટે તો જે ઈત્યાદિ સૂત્રપાઠ કહે છે. -તેમાં તેઓ એ સમજાવે છે કે તે જઘન્યકાળની સ્થિતિવાળે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નીવાળો જીવ કે જે નાગકુમારેમાં ઉત્પન થવાને ગ્ય છે, તે જે નાગકુમારમાં ઉત્પન્ન થઈ જાય તો તે સંબંધમાં એજ કથન કહેવું જોઈએ. અર્થાત્ પરિમાણથી લઈને ભવાદેશ સુધીનું કથન પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું અહિં કહેવું જોઈએ. અહિયાં આ રીતના કથનથી એવી શંકા થાય છે કે-જે પહેલા ગામમાં અને બીજા ગામમાં એકદમ સરખાપણું હોય તે પછી બે ગમનું કથન સ્વતંત્ર પણે નિરર્થક થઈ જાય છે. કેમકે-પહેલા ગમના કથનથી બીજે ગમ ચરિતાર્થ થઈ જાય છે. આ શંકાના નિવારણ માટે સૂત્રકારે એવું કહ્યું છે કે– નવર' ના. નાિિહં હવે ૨ કાળે ગા’ પહેલા ગમમાં અને બીજા ગામમાં સ્થિતિ અને સંવેધના વિષયમાં જુદા પણું છે. જેથી તમામ દ્વારમાં સરખા પાણું નથી. અહિં બીજા ગામમાં નાગકુમારની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની કહી છે. તથા કાયસંવેધ કાળની અપેક્ષાએ જઘન્યથી દસ હજાર વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકેટિ રૂપ છે. અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષ અધિક ત્રણ પાપમને કહ્યો છે. આ રીતે આ બીજે ગમ સમજે ૨ હવે ત્રીજા ગમનું કથન કરવામાં આવે છે–ણો જેવા કોરાજદિરng વનો અસંખ્યાત વર્ષની આયુષ્યવાળો તે સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય તિય"ચ એનિવાળો જીવ જે ઉત્કૃષ્ટથી કંઈક કમ બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારેમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, અને તે આ રીતે ત્યાં ઉતપન્ન થઈ જાય છે, તે તે સંબંધમાં પણ પણ ન કરવા આ પહેલા ગમનું સમગ્ર કથન અહિયાં કહેવું પરંતુ આ કથનમાં અને પહેલા ગામના કથનમાં–જે જુદા પડ્યું છે, તે “faછું વ ળે” ઈત્યાદિ કથન અનુસાર છે. અર્થાતુ-અહિયાં આ ત્રીજા ગમમાં સ્થિતિ દ્વારમાં જઇન્યથી સ્થિતિ દેશના બે પ૯પમની છે, આ પ્રકારે અહિયાં જે જઘન્ય આયનું કથન કરેલ છે, તે અવસર્પિણી કાળના બીજા સુષમા નામના આરાને કેટલેક ભાગ વતિ ગયા પછી અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિયાને શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૮૩
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy