SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નિવાબે જીવ જઘન્યકાળની સ્થિતિથી ઉત્પન્ન થયા હોય અને અસકુમારોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય તે તે જઘન્ય ૧૦ દસ હજારવર્ષની રિથતિવાળા અસુરકુમારોમાં તથા ઉત્કૃષ્ટથી સાતિરેક–પૂર્વકટિ આયુષ્યવાળા અસુરકુમા. માં ઉત્પન્ન થાય છે. જે જઘન્ય કાળની સ્થિતિવાળે છે અને સ તિરેક પૂર્વકેટિ આયુષ્યવાળા અસુરકુમારોમાં ઉત્પન થાય છે, એ તે તિર્યંચ જવ પક્ષી વિગેરેના રૂપથી ત્યાં કહેલામાં આવેલ છે, કેમકે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા પક્ષી વિગેરેનું આયુષ્ય સાતિરેક પૂર્વકેટીનું હોય છે. અને તેઓ પોતાના આયુષ્યની બરોબર જ દેવાયુને બંધ કરે છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–તે ળ મેતે ! sીવા ગયાં તે શેર માર મારો ઉત્ત' હે ભગવન્ એવા જે એક સમયમાં કેટલા ઉપન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! જઘન્યથી તેઓ એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત ઉત્પન્ન થાય છે એજ પ્રમાણે સંહનન, અવગાહના; સંસ્થાન, લેશ્યા, દષ્ટિ જ્ઞાન અજ્ઞાન, યોગ, ઉપગ, સંજ્ઞા; કષાય, ઈન્દ્રિય, સમુદ્દઘાત, વેદના, વેદ, વિગેરે તમામ વિષય સંબંધી કથન પહેલા ગામમાં કહ્યા પ્રમાણે જ અહિયાં પણ સમજવું. આ કથનમાં પડેલ ગમ કરતાં જે અંશમાં જુદાપણું છે તે સૂત્રકાર “નવા જ કomળે ધણુ દુત્ત' ૩ોળે તિરે ધરણારૂં” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરે છે.-અહિયાં અવગાહના જઘન્યથી ધનઃ પ્રથ કુત્વની છે અને ઉત્કટથી કંઈક વધારે એક હજાર ધનુષ રૂપ છે, પહેલા ગમમાં શરીરની અવગાહના જઘન્યથી ધનુષ પૃથફત્વ રૂ૫ અને ૬ છ ગભૂત (બાર ગાઉ) રૂપે પ્રગટ કરેલ છે. પરંતુ અહિયાં જઘન્યથી ધનુષ પૃથકૃત્વ રૂપ અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક હજાર ધનુષ રૂપે પ્રગટ કરેલ છે. આ રીતનું આ કથન સાતમા કુલકરની પહેલા થયેલ હાથી વિગેરે તિર્યંચ ની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તેમ સંભાવના કરવામાં આવે છે. કેમકેઅહિયાં અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંરી પંચેન્દ્રિય તિર્યંચ જીવોનું પ્રકરણ ચાલે છે, તે આ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ છ કંઈક વધારે પૂર્વકેટિની આયુવાળા હોય છે. તેમ શાસ્ત્રમાં બતાવેલ છે. તે આવા તે તિય ચ જીવ હાથી વિગેરે રૂપ સ તમા કુલકરના પહેલા કાળમાં થયેલા હોય છે. તથા જ્યારે સાતમા કુલકરના શરીરની અવગાહ પ૨૫ પાંચસો પચીસ ધનુષની હતી તો તેઓના પહેલાના જીવોની અવગાહના આ અવગ હનાથી પણ અધિકતર હશે તેવી એ વાત માનવી જોઈએ કે-અહિયાં શરીરની અવગાહના જે કંઇક વધારે એક હજાર ધનુષની પ્રગટ કરેલ છે. તે સાતમાં કુલકરની અવગાહના કરતાં બમણું કહેલ છે. અને તે સાતમા કુલકરની પહેલાના હાથી વિગેરે તિયચ જી-કે જેઓ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૬૮
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy