________________
છે. અપહરદ્વાર સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન તેના મૂળમાંથી જે જીવો પ્રતિસમયમાં સંખ્યાત અને અસંખ્યાત ઉત્સર્પિણી કાળ સુધી અસંખ્યાતપણુથી કહાડવામાં આવે તો તે કેટલા કાળમાં તેમાંથી પૂરે પુરા બહાર કહાડી શકાય તેમ છે ? ઉત્તર-હે ગૌતમ! પ્રત્યેક સમયે જે અસંખ્યાત રૂપથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્સર્પિણી કાળ સુધી તેમાંથી જે બહાર કાઢવામાં આવે, તે પણ તે જ તેમાંથી પૂરે પૂરા બહાર કહાડી શકાતા નથી. ગૌતમ સ્વામીને પ્રશ્ન-તે મૂળમાં રહેલા જીના શરીરની અવગાહના (લંબાઈ પહોળાઈ) કેટલી કહી છે ? ભગવાનને ઉત્તર
ગૌતમ! તે મૂળમાં રહેલા એના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની કહી છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન્ તે મૂળમાં રહેલા જીવો જ્ઞાનાવરણીય વિગેરે કમેને બંધ કરનાર હોય છે ? કે અબંધક હેય છે? ભગવાનને ઉત્તર- હે ગૌતમ! તે મૂળમાં રહેલા છ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોના બંધક–બંધ કરનારા જ હોય છે. અબંધક હોતા નથી આ પ્રમાણેનું કથન કર્મોને વેદનના સંબંધમાં, ઉદયના સંબંધમાં અને ઉદીરણાના સંબંધમાં પણ સમજવું. હે ભગવન તે મૂળમાં રહેલા છે કેટલી લેશ્યાઓ વાળા હોય છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ ! તેના મૂળમાં રહેલા છ કૃષ્ણ, નીલ, અને કાપિત આ ત્રણ વેશ્યાઓવાળા હોય છે. આ વેશ્યા સંબંધી પહેલા કહેલ પદ્ધતિથી ૨૬ છવીસ ભંગ થાય છે. તે તમામ ભંગો અહિયાં કહેવા જોઈએ,
દષ્ટિદ્વારમાં–આ બધા જીવો મિથ્યાદષ્ટિ જ હોય છે, જ્ઞાનદ્વારમાં–આ બધા જીવો અજ્ઞાની જ હોય છે. ગદ્વારમાં આ જ કેવળ કાયોગ વાળા જ હોય છે. ઉપગદ્વારમાં–આ જીવો સાકાર-અને અનાકાર રૂપ બને પ્રકારના ઉપયોગવાળા હોય છે. આ તમામ કથન અહિયાં કહેવું. એજ રીતે વર્ણાદિથી લઈને ઇન્દ્રિયદ્વાર સુધીના બાર દ્વારા સંબંધનું વિવેચન યોગ્ય રીતે સમજી લેવું. પ્રશ્ન-હે ભગવન આ મૂળના જીવ મળ વગેરેમાં ક્યાં સુધી રહે છે? ભગવાનને ઉત્તર-હે ગૌતમ! આ મૂળના જીવો મૂળ વગેરેમાં જઘન્યથી એક અંતમુહૂત સુધી રહે છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન આ મૂળ વિગેરેમાં રહેલા જીવો જે ત્યાંથી મરીને પૃથ્વીકાય વિગેરેમાં જે ઉત્પન્ન થઈ જાય અને પાછા ત્યાંથી પણ મરીને ફરીથી મૂળ વિગેરેમાં ઉત્પન થઈ જાય. તે આ રીતે મરીને ફરીથી ત્યાંજ ઉત્પન્ન થઈને તેઓ ત્યાં કેટલા કાળ સુધી રહે છે ? અને આ રીતે તેઓ અવર જવર ક્યાં સુધી કરતા રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તેઓ આ રીતે ઓછામાં ઓછા બે ભવગ્રહણ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવગ્રહણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
८६