SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નથી કધમાં તે પરમાણુના બ્યપદેશ પરમાણુ રૂપે ન રહેતાં પ્રદેશરૂપવ્યપદેશાન્તરથી-નામાન્તરથી તેના વ્યપદેશ થાય છે. તથા પેાતાના વિશેષ ધર્મરૂપ જે પર્યાય છે—જે વર્ણાદિભેદની અપેક્ષાએ અનેક પ્રકારના હાય છે, તે વ પર્યંચાની અપેક્ષાએ, ગંધયાંચાની અપેક્ષાએ, રસપાંચાની અપેક્ષાએ અને સ્પશ પાંચાની અપેક્ષાએ પરમાણુ રૂપ પુદ્ગલને અશાશ્વત (અનિત્ય) કહેવામાં આવ્યુ છે. પાંચાના વિનાશ પર્યાય રૂપની અપેક્ષાએ જ થાય છે. “ લે તેનતેનું સાવ બ્રિચ બ્રાહ્મણ રિચ લજ્જાસ્ર” હે ગૌતમ ! તે કારણે મે એવુ' કહ્યુ છે કે પરમાણુ રૂપ પુદ્ગલ અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. પ્રસૂ -પરમાણુવિશેષ વકતવ્યતા ‘પરમાણુપોળàાં મંરે ! દિ ષને ભ્રમે ' ઇત્યાદ્રિ— ટીકા પરમાણુના વિષયમાં વકતવ્યતા ચાલી રહી છે તેથી સુત્રકારે આ સૂત્રમાં તેના ચમત્વ આદિની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલ. ક્ષીને ગૌતમ સ્ત્રામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- વર્માજીપોઢે નં મંતે ! રશ્મિ, અમેિ ?'' હે ભગવન્! પરમાણુ રૂપ પુદ્ગલ ચરમ છે કે અચરમ છે ? જે પરમાણુ જે વિવક્ષિત ભાવથી પ્રદ્યુત (અલગ) થઈને ફરી એજ વિવક્ષિત ભાવની પ્રાપ્તિ કરી શકતું નથી, તે પરમાણુને તે ભાવની અપેક્ષાએ ચરમ કહ્યું છે. આ ચરમથી જે પરમાણુ વિપરીત હાય છે, એટલે કે વિવક્ષિત જે ભાવથી તે શ્રુત થઈ ચુકયુ છે, એજ ભાવને ફરીથી તે પ્રાપ્ત કરી લે છે, ત્યારે તે પરમાણુને અચરમ કહે છે. મહાવીર પ્રભુ તેના ઉત્તર આપતા કહે છે કે- ગોયમા !” હે ગૌતમ ! મુખ્યારેખે તો રમે, અમેિ ’ પુદ્ગલપરમાણુ દ્રવ્યાદેશની અપેક્ષાએદ્રવ્યપ્રકારે ચરમ નથી, અચરમ છે. આ કથનને ભાવાથ નીચે પ્રમાણે છેજ્યારે પરમાણુદ્રશ્ય સંઘાતપરિણામને પ્રાપ્ત કરે છે, ત્યારે તે પાતાના પરિણામથી રહિત તે થઈ જાય છે, પરન્તુ તેમાંથી વ્યુત થયા ખાદ કાળાન્તરે એજ પરમાણુ પેાતાના મૂળ પરિણામને પ્રાપ્ત કરી લે છે, તેથી દ્રવ્યાદેશની અપેક્ષાએ પરમાણુને ચરમ કહેવામાં આવ્યુ નથી. સઘાતમાં મન્યા પહેલાં પરમાણુની જે અવસ્થા હતી, તે અવસ્થામાં તે પરમાણુ સઘાતમાંથી વ્યુત થયા બાદ આવી જાય છે, આ પ્રકારનુ આ કથનનુ તાત્પય છે. તે કારણે આ અપેક્ષાએ તેને ચરમ કહેવામાં આવ્યુ નથી, પણ અચરમ કહેવામાં આવ્યુ છે. “ હેત્તાવરાં સિય રિમે સિચન્દ્રમે ’ '' * શ્રી ભગવતી સૂત્ર : ૧૧ ૭૩
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy