SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ નરકગતિ કા નિરૂપણ -નરકગતિ વક્તવ્યતા“નૈરચાર્જ કરે ! હું સીદ્યા ૧” ઈત્યાદિ ટીકાર્ય–આની પહેલાના સૂત્રમાં દેવગતિના વિષયમાં કહેવામાં આવ્યું હવે નરકગતિના વિષયમાં સૂત્રકાર પ્રરૂપણ કરે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નૈયા બં અંતે ! સીહાર, વાર્દ તીરે mવિષા પછm” હે ભગવન! નારકેની કેવી શીઘગતિ કહી છે? અને તે શીઘ્રગતિનો વિષય (કાળ) કેટલે કહ્યો છે? અહીં “શીઘ્રગતિવિષય” આ પદ કાળનું વાચક છે, કારણ કે શીધ્રગતિમાં કાળ જ હેતુરૂપ હોય છે તેથી પ્રશ્નને ભા વાર્થ આ પ્રમાણે ફલિત થાય છે-“નારકોની શીઘ્રગતિ કેવી હોય છે? અને તે શીધ્રગતિને કેટલે કાળ હોય છે?” મહાવીર પ્રભુને ઉત્તર-“ મા! તે કા નામ છે પુષેિ તળે बलयं जुगवं जाव निउणसिप्पोवगए आउंटियं बाहं पसारेज्जा, पसारियं बाह માટે જ્ઞા” હે ગૌતમ ! કેઈ પુરુષ યુવાન હોય, બલવાન હોય (તરુણ પુરુષ દુર્બળ પણ હોઈ શકે છે, અહી’ એવા બળ પુરુષની વાત કરી નથી તે બળવાન્ વિશેષણથી સ્પષ્ટ થાય છે.) યુગવાન હોય (કાળવિશેષની અપે. ક્ષાએ બળમાં વિશિષ્ટતા આવી જાય છે. સુષમદુષમાદિ કાળવિશેષ જેના બળમાં હેતુભૂત હોય એવા યુગવાન પુરુષની અહીં વાત કરી છે) પુખ્ત વયને હાય, અલ્પાતકનીરોગી હોય (“અલ્પાન્તક” આ પદમાં અલ્પ પદ અભાવાર્થક છે,) સ્થિરાગ્રહસ્ત હાય (જેને હસ્તાગ્ર ભાગ સ્થિર-દઢ હોય) જેના હાથ અને પગ મજબૂત હોય, એટલે કે જે ઉત્તમ સંહનનવાળો હોય, તલય મલયુગલપરિઘનિભબાહુવાળા” હોય, એટલે કે દીર્ઘતા, સરલતા અને પીનતા-જાડાઈ આદિની અપેક્ષાએ જેની અને ભુજાઓ તાલવૃક્ષના સમશ્રેણિક યુગલ જેવી હોય, અર્ગલા (આગળિયા)ના જેવી હોય, ચરમેષ્ટક, દુઘણુ અને મુષ્ટિકની જેવાં જેમનાં અંગે પુષ્ટ હોય, (ઈના ટુકડાથી ભરેલી ચામડાની થેલીનું નામ “મેંષ્ટક” છે. મુદ્દગળને “હૃઘણ” કહે છે, મુષ્ટિપ્રમાણ જે પત્થરનો ગોળો હોય છે અને જેમાં ચામડાની દેરી પરોવેલી રહે છે, તેનું નામ ૌષ્ટિક છે. વ્યાયામકરતી વખતે પહેલવાને તે મુષ્ટિક વડે પિતાના હસ્તાદિક અલ્યને ફૂટે છે. આમ કરવાથી તેમનાં તે અવયવે ખૂબ જ પુષ્ટ થાય છે.) જે રસબલસમન્વાગત (આન્તરિક બળથી યુકત) હોય, તથા જે લંઘન, હવન અને ઉત્પતનમાં વેગવાળે હેય, વ્યાયામ કરવાને સમર્થ હેય, નિપુણ હેય દક્ષ હોય (બરાબર વિચારીને કામ કરનારો હાય), એક જ વાર દેખવા કે સાંભળવાથી કાર્યને સમજી લેનારે હેય, એવાં યુવાનાદિ વિશેષણોવાળા પુરુષના હાથની ગતિ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૪૫
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy