________________
હોવાને કારણે ભાષાને શું રૂપ માનવી જોઈએ ખરી ? અને ચક્ષઈન્દ્રિય દ્વારા તે ગ્રાહ્ય નથી તે શું તેને ધમસ્તિકાયની જેમ અરૂપી માનવી જોઈએ?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! વી માતા, નો અરધા માતા હે ગૌતમ! ભાષા રૂપી છે, અરૂપી નથી તેને અરૂપી સિદ્ધ કરવાને માટે એવું જે કહેવામાં આવ્યું છે કે તે ધર્માસ્તિકાય આદિની જેમ ચક્ષુરિન્દ્રિય દ્વારા અગ્રાહ્યા છે, તે હેતુ (કારણુ) પણ અનૈકાન્તિક દોષથી યુક્ત છે કારણ કે તે પક્ષમાં રહેવા છતાં પણ વિપક્ષથી વ્યાવૃત થતું નથી વિપક્ષ જે પરમાણુ. વાયુ, પિશાચાદિક છે તેમનામાં આ હેતુને સદ્ભાવ જણાય છે એટલે કે તે રૂપશાલી (રૂપી) હોવા છતાં પણ ચક્ષુરિન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હોતાં નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નિત્તાળે મરે! મારા નિત્તા માસા હે ભગવદ્ ! શું ભાષા સચિત્ત છે? કે અચિત્ત છે? (અહીં “” વાક્યાલંકારમાં પ્રયુકત થયેલ છે.)
આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે ભાષા અનાત્મ રૂપ હોવા છતાં પણ જીવશરીરની જેમ સચિત્ત હોઈ શકે છે, “તથા શું તે અચિત્ત છે?” આ પ્રશ્નને હેતુ એ છે કે તે જીવ દ્વારા નિરુણ લેકની જેમ, જીવ દ્વારા નિયુષ્ટ પુલમય હોવાથી અચિત્ત છે.
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! નો વિત્તા મારા, જિત્તા મારા હે ગૌતમ ! ભાષા સચિત નથી, પરંતુ અચિત્ત જ છે. તે પુલમય રહેવાને કારણે તેને સચિત્ત કહી શકાય નહીં, તથા તે અચિત્ત હોવાનું કારણ એ છે કે તે જીવ દ્વારા નિયુષ્ટ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ડીવા મતે ! માસા, જીવા માસા હે ભગ વન ! “જીવતીતિ રીવઃ” આ વ્યુત્પત્તિ અનુસાર શું ભાષા પ્રાણધારણું સ્વરૂપવાળી છે કે પ્રાણ ધારણુસ્વરૂપવાળી નથી ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા હે ગૌતમ! “ sીવા મારા, અનીવા મા” ભાષા પ્રાણધારણુસ્વરૂપવાળી નથી, કારણ કે તેમાં ઉછૂવાસાદિ પ્રાણને સદૂભાવ હોતો નથી, તે કારણે તે અવરૂપ જ છે. કદાચ કોઈ એવો અભિપ્રાય વ્યક્ત કરે કે વેદની ભાષા અપૌરુષેયી છે, તે આ મતને આધાર લઈને જ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન કરે છે કે “ sai મરે! માતા, અનીવાળું માતા?” હે ભગવન્! જીમાં ભાષાને સદ્ભાવ હોય છે? કે અજીવોમાં સભાવ હોય છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૯