SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ ગયા છે, તેમણે માંસને ત્યાગ કરવાને સર્વસંમત ઉપદેશ આપ્યો છે. તેના પ્રભાવથી તે તેમના લાખે અનુયાયીઓએ માંસાહારનો ત્યાગ કર્યો છે. આ પ્રકારની પરિસ્થિતિમાં શ્રમણે પાસક દ્વારા માંસ પકવવામાં આવ્યાની વાત કેવી રીતે માની શકાય? રેવતી ગાથા પત્ની જેવી એક સન્નારી પિતાના ઘરમાં કબૂતરનું અથવા કૂકડાનું માંસ પકવવા રૂપ હેયકૃત્ય કરે, એ વાત કેવી રીતે માની શકાય? કેઈપણ સમજદાર વ્યક્તિ આ વાત કેવી રીતે માની શકે કે–શ્રમણ ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો? મહાવીર ભગવાન તે જનકલ્યાણના પુરસ્કર્તા હતા, જીવોને અભય દાન દેનારા હતા. તેમના ઉપદેશ પર સૂફમદષ્ટિથી વિચાર કરવામાં આવે, તે આપણને તે વાતની ખાતરી થશે કે તેઓ માંસ જેવા અભક્ષ પદાર્થનું કઈ પણ પરિસ્થિતિમાં સેવન ન જ કરે વળી નીચેની યુકિતઓ (ત) દ્વારા પણ એજ માન્યતા સમુચિત અને યોગ્ય લાગશે. (૧) ભગવાન મહાવીર સ્વામી એક અત્યન્ત અહિંસક તપસ્વી હતા. તેઓ વિહાર આદિ પ્રવૃત્તિઓ પણ એટલી બધી યતનાપૂર્વક કરતા હતા, કે જેથી સૂફમમાં સૂક્ષમ છની પણ હિંસા ન થાય, તે પછી તેમના આહારપાણની તે વાત જ શી કરવી ! તેમને કઈ દંશમશક (મછર આદિ જંતુઓ) કરડે તે પણ તેઓ તેમને દૂર કરવાનો પ્રયત્ન એટલા જ કારણે કરતા નહીં કે કદાચ તેમ કરવાથી તે જીવેને પીડા પહોંચશે. જેઓ આટલા ઉત્કૃષ્ટ રૂપે અહિંસાનું પાલન કરનારા હતા, તે પ્રાણીઓના પ્રાણને નાશ કરીને તૈયાર કરેલા માંસને આહાર તેઓ કરે, એ વાત કેવી રીતે માની શકાય? તીર્થકરોને એ ઉપદેશ છે કે જે આહાર સચિત્ત રજ વડે અવગુકિત (આછાદિત) હેય, તે આહાર ખાવા યેગ્ય હેતું નથી. તે એ વાત કેવી રીતે માની શકાય કે તીર્થકર મહાવીરે માંસાહારનું સેવન કર્યું હતું ? જેમણે અન્ય જીવોની રક્ષા માટે-મારા વડે જીવની હિંસા ન થઈ જાય તે માટે–પિતાના જીવનને પણ મહાસંકટમાં મૂકી દીધું હતું, તે મહાવીર પ્રભુ પોતાના જીવનની રક્ષા નિમિતે માંસાહાર કરે, એ વાત જ અસંભવિત છે. (૨) મહાવીર પ્રભુના જીવનમાં એવાં અનેક પ્રસંગે આવી ગયાં હતાં, કે જેમાં તેમણે સુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા સાધુઓને પણ જળાશયનું સ્વચ્છ અને વિગત જીવવાળું પાણી પીવાની અનુમતિ આપી ન હતી, તો શું એ વાત વિચારવા જેવી લાગતી નથી કે સાધુઓના પ્રાણ સંકટમાં આવી પડવા છતાં પણ જેમણે નિર્મદ પાણી અને આહારનું સેવન કરવાની અનુમતિ ન આપી, તેઓ શું પિતાના પ્રાણની રક્ષા નિમિત્ત માંસાહારનું સેવન કરે ખરા? આ પ્રકારની કલ્પના પણ કેવી રીતે સંભવી શકે? (૩) પ્રસ્તુત ભગવતીસૂત્રનું વાક્ય માંસાર્થક નથી, કારણ કે શબ્દક શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૨૨૦
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy