SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધથી પૂંઆ થઈને તેણે એજ વખતે તપજન્ય તેજલેશ્યાના એક જ આઘાતથી, પાષાણનિમિત મારણમહાયંત્રના આઘાતના જેવા આઘાતથી, સર્વાનુભૂતિ અણગારને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. “i ? જો મંઝિyત્તે सव्वाणु भई अणगारं तवेणं तेएणं एगाहच्चं कूडाहच्च जाव भासरासिं करता दोच्चपि समणे भगवं महावीरं उच्चावयाहिं आउसणाहिं आउसइ" मा गरे સર્વાનુભૂતિ અણગારને પાષાણુમય યંત્રના આઘાત સમાન, તપજન્ય તેજલેશ્યાના એક જ આઘાતથી ભસ્મીભૂત કરીને, મંખલિપુત્ર ગોશાલકે બીજી વાર પણ શ્રમણ ભગવાન મહાવીરને અનુચિત, કઠેર વચને સંભળાવવા માંડયા આ પ્રકારનાં વચનો દ્વારા તેમની નિન્દા કરી, તિરસ્કાર કર્યો, ભત્સના કરી, ઈત્યાદિ પૂર્વોકત કથન અહી ગ્રહણ કરવું જોઈએ. “આજ તમારૂ આવી બન્યું છે, મારા તરફથી તમને સહેજ પણ સુખ ઉપજવાનું નથી... આ કથન પર્યન્તનું પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ અહીં “યાવત' પદ દ્વારા “વશવરામિઃ ૩ઘળrfમઃ સર્ઘર્ષથતિ, ૩રવાવરામિ નિમર્તનામિઃ निर्भत्सयति, उच्चावचाभिः निश्छोटनाभिः नि छोटयति, अथ चैव वदति, नष्टा सि कदाचित, विनष्टोऽसि कदाचित, भ्रष्टोऽसि कदाचित्, नष्टविनष्टभ्रष्टोऽसि સાવિત્ રુત્યેવમÉ મળે, બાવં ન મવતિ ” આ પૂર્વોક્ત સૂત્રપાઠી ગ્રહણ કરવામાં આવ્યું છે. ___“तेण कालेण तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी कोसलजाणवए सुण खत्ते णाम अणगारे पाइभदए, विणीए, धम्मायरियाणुरागेणं Eા સવાલુમૂર્વ તવ નાવ હવે તે સા છાયા ન બના” તે કાળે અને તે સમયે શ્રમણભગવાન મહાવીરના એક બીજા અન્તવાસી–શિષ્ય કે જેનું નામ સુનક્ષત્ર અણગાર હતું. તેઓ કોશલ દેશમાં જન્મ્યા હતા. તેઓ ભદ્ર પ્રકૃતિવાળા અને ઘણા વિનીત હતા. તેમને પણ સર્વાનુભૂતિ અણગાર જે જ અનરાગ મહાવીર પ્રભુ પ્રત્યે હતું તેમણે પણ સંબલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો-“હે ગોશાલક ! તથારૂપ શ્રમણ અથવા માહણની પાસે જે વ્યક્તિ એક પણ આર્ય ધાર્મિક સુવચનને શ્રવણ કરે છે, તે વ્યક્તિ તેમને વંદણ કરે છે, નમસ્કાર કરે છે, અને તેમને કલ્યાણસ્વરૂપ, મંગળવરૂપ અને દેવ સ્વરૂપ ગણીને તેમની પર્યું પાસના કરે છે. હે ગે શાલક ! તમારી તો વાત જ જુદી છે. તમે તે મહાવીર પ્રભુ દ્વારા પ્રજિત થયા છે, તેમના દ્વારા જ મુંડિત થયા છે, ભગવાનના દ્વારા જ શિષ્યરૂપે તમને અંગીકાર કરવામાં આવ્યાં છે, ભગવાને જ તમને તેલેસ્થા પ્રાપ્ત કરવાની વિધિ શિખવી છે, ભગવાનના દ્વારા જ તમે શિક્ષિત થયા છે, ભગવાને જ તમને બહુશ્રત કર્યા છે. છતાં પણ તમે મહાવીર પ્રભુ પ્રત્યે મિથ્યાભાવ પરિણત થયા છે. હે ગોશાલક! એવું કરવું તમને શોભતું નથી તે શાલક ! ભગવાન પ્રત્યે એ વર્તાવ ન કરો તમે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૮ ૭
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy