SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બકુત્તરોવવારવત્તાપ કરવા? હે ભગવન્! અનુત્તરૌપપાતિક દે, કેટલા કમની નિર્જરા બાકી રહી જવાથી અનુત્તરી પપાતિક દેવ રૂપે ઉત્પન્ન થયા છે ? - મહાવીર પ્રભુનો ઉત્તર-બોચમા ! નાવરૂઘં છમત્તિર રામને નિરાશે कम्मं निज्जरेइ, एवइएणं कम्नावसेसेणं अणुत्तरोववाइया देवा देवत्ताए उववन्ना" હે ગૌતમ ! જેટલાં કર્મોની નિર્જરા શ્રમણનિગ્રંથ છટું ભકત (બે દિવસના ઉપવાસ)માં કરે છે, એટલાં કર્મ બાકી રહી જવાથી અનુત્તરપપાતિક દેવ અનુત્તપિપાતિક દેવ રૂપે ઉત્પન્ન થયા હોય છે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી કહે છે કે-“સેવં અંતે! રેવં મતે ! ઉત્ત” હે ભગવદ્ આપે જે કહ્યું તે સત્ય છે. હે ભગવન્! આપનું કથન સર્વથા સત્ય જ છે. સૂ૦૬ ૫ સાતમે ઉદ્દેશક સમાપ્ત ૧૪-૭૫ આઠર્વે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ આઠમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે રત્નપ્રભા અને શરામભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વી વચ્ચે કેટલું અંતર છે? એજ પ્રકારના પ્રશ્નો અને ઉત્તરનું પ્રતિપાદન અાસપ્તમી નરક પૃથ્વી અને અલેક વચ્ચે કેટલું અંતર છે? રત્નપ્રભા પૃથ્વી અને તિષિક વચ્ચેના અંતરનું કથન જતિષિક અને સૌધર્મઇશાન વચ્ચેના અંતરનું કથન, સનસ્કુમાર મહેન્દ્ર દેવક અને બ્રહ્મદેવલોક વચ્ચેના પરસ્પરના અંતરનું કથન, બ્રહાદેવલેક અને લાન્તક દેવલેક વચ્ચેના અંતરનું કથન, લાન્તક દેવલોક અને મહાશુક દેવલેક વચ્ચેના અંતરનું કથન, એજ પ્રમાણે અનુક્રમે અન્ય દેવલોકેના પર સ્પરના અંતરનું કથન અનુત્તર વિમાન અને ઈષપ્રાગભારા પૃથ્વી વચ્ચેના અંતરનું કથન, ઈષપ્રાગ્લારા પૃથ્વી અને અલક વચ્ચેના અંતરનું કથન શાલિવૃક્ષ મરીને ક્યાં જશે, ઈત્યાદિ વકતવ્યતા, એજ પ્રમાણે શાલિયણિકા અને ઉદુમ્બર યષ્ટિકા મારીને કયાં જશે? તેની વક્તવ્યતા, અંબડ પરિવ્રાજ. કની વકતવ્યતા, અવ્યાબાધ દેવની વક્તવ્યતા, ઈન્દ્ર કેઈ પણ જીવના મસ્તકને છેદીને કમંડળમાં મૂકી રાખે, તે પણ તે જીવને દુઃખ થતું નથી, ઈત્યાદિ પ્રરૂપણ, જમ્મુકદેવની વક્તવ્યતા, “ભકદેવ” શબ્દ પ્રયોગ થવાનું કારણ, ભદેવ પ્રકારના દેવપ્રકારની પ્રરૂપણ, જુભકદેવાવાસની અને ભદેવોની સ્થિતિની વક્તવ્યતા. શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૧૦૮
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy