SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિવાળું પગલ સાત સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, આઠ સમયની સ્થિતિવાળું પુદ્ગલ આઠ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, નવ સમયની સ્થિતિવાળું પુદ્ગલ નવ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે અને દસ સમયની સ્થિતિવાળું પુદ્ગલ દસ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે કાળની અપેક્ષાએ તુલ્ય હોય છે. પરંતુ બેથી લઈને દસ પર્યન્તની સ્થિતિવાળાં પુદ્ગલે, બેથી લઈને દસ પર્વતની સ્થિતિ કરતાં જુદી જ સ્થિતિવાળાં પુદ્ગલેની સાથે કાળની અપેક્ષાએ-એક સમય સ્થિતિત્વ આદિની અપેક્ષાએતુલ્ય હોતા નથી. તુ કારમયદ્રિ પર્વ રેવ” તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિ. વાળું પુદ્ગલ તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ સમાન હોય છે, પરન્તુ તુલ્પ સંખ્યાત સમયની સ્થિતિવાળું એજ પુદ્ગલ તુલ્ય સંખ્યાત સમયની સ્થિતિ કરતાં જુદી જ સ્થિતિવાળા પદુગ. લની સાથે કાળની અપેક્ષાએ-એક સમયની સ્થિતિ આદિની અપેક્ષાએસમાન હોતું નથી, પદં તુરઢ સંકામચાિ વિ' એજ પ્રમાણે તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળું પુદ્ગલ તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુત્રલની સાથે કાળની અપેક્ષાએ સમાન હોય છે, પરંતુ એજ તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિવાળું પુદ્ગલ, તુલ્ય અસંખ્યાત સમયની સ્થિતિ કરતાં જુદી જ સ્થિતિવાળા પુદ્ગલના સમાન કાળની અપેક્ષાએ હેતું નથી. “જે તે જાવ તુર૪” એજ કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે “કાળતુલ્યક” શબ્દ “કાળની અપેક્ષાએ તુલ્ય” અર્થને વાચક છે. અહીં અનંતક્ષેત્ર પ્રદેશોમાં અવગાઢનું અને અનંત સમયની સ્થિતિનું કથન સૂત્રકારે કર્યું નથી, કારણ કે અવગાહ પ્રદેશમાં અને સ્થિતિસમયમાં પુદ્ગલની અપેક્ષાએ અનંતતાને અસદુભાવ હોય છે, એમ સમજવું જોઈએ. હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-“સે ન મરે! 9 કુદરૂ, મહતુરછ-માતુરણ?” હે ભગવન્! આપ શા કારણે એવું કહે છે કે “ભવતુથક પદ ભવની અપેક્ષાએ તુલભ્યતાનું વાચક છે ? એટલે કે ભવતુલ્યક પદને શું અર્થ થાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“શો મા ! ને રૂપ તેરા મવદુચાપ છે, નેચવરિષ્ઠ મવથાણ નો તુ” હે ગૌતમ ! નારક નરયિક ભાવની અપેક્ષાએ બીજા નારક સાથે સમાન હોય છે, પરંતુ એ જ નારક નૈરયિક ભવ સિવાયના ભવવાળા જીવની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોતો નથી. “નિરિકોળિ પવન” એજ પ્રકારનું કથન તિર્યંચેનિક જીવન વિષયમાં પણ સમજવું એટલે કે એક તિર્યંચેનિક જીવ તિય"ચ ભાવની અપેક્ષાએ બીજા તિર્યંચ જીવની બરાબર છે, પરંતુ એ જ તિર્યનિક જીવ તર્યચ ભવ સિવાયના ભવવાળા જીવની બરાબર, ભવની અપેક્ષાએ, હેતે શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ૯૯
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy