SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ નાક મા ”િ લેકની શાશ્વતસ્થિતિ, સંસારને અનાદિભાવ, જીવને નિત્યભાવ, કર્મોની અધિકતા અને જન્મમરણની બહુલતા, આ બધાની અપેક્ષાએ વિચાર કરવા માં આવે, તે આ અતિ વિશાળ લેકનો એ કેઈ પરમાણુપુદ્ગલપ્રમાણુ પ્રદેશ પણ એ નથી કે જ્યાં આ જીવ જ ન હાય અને મર્યો ન હોય આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે લોકની સ્થિતિ શાશ્વત હોવા છતાં પણ જે સંસારને સાદિ (આદિ યુક્ત) માનવામાં આવે, તે જીવની જે આ પ્રકારે વિવિધ જીવની અપેક્ષાએ લેકાકાશના પ્રત્યેક પ્રદેશમાં અનાદિ રૂપે જન્મમરણ પરંપરા પ્રતિપાદિત કરવામાં આવી છે, તે પ્રતિપાદિત કરી શકાત નહીં તેથી લેકને શાશ્વત માનવા છતાં પણ સંસારને અનાદિ કહેવામાં આવ્યું છે આ પ્રકારની પરિસ્થિતિ હોય તે જ કાકાશના પ્રત્યેક પ્રદેશમાં જીની અનાદિ રૂપે જન્મમરણ પરમ્પરા ઘટિત થઈ શકે આ પ્રકારે વિવિધ જીની અપેક્ષાએ સંસારમાં અનાદિતા રહેવા છતાં પણ જે વિવક્ષિત જીવને અનિત્ય માનવામાં આવે, તે ઉપર્યુક્ત અર્થની સંગતતા સંભવી શકતી નથી, તેથી જીવમાં નિત્યતા કહી છે જીવને નિત્ય માનવા છતાં જે કર્મોમાં અલ્પતા માનવામાં આવે, તે તથાવિધ સંસારમાં જેનું પરિભ્રમણ સંભવી શકશે નહીં, તેથી ઉપર્યુકત કથન સંગત બની શકે, તે માટે બહુલતા પ્રતિપાદિત કરાઈ છે કર્મોની બહુલતા હોવા છતાં પણ જન્માદિમાં અલ્પતા માનવામાં આવે, તે ઉપર્યુક્ત કથન અસંગત જાય છે, તે કારણે મેં એવું કહ્યું છે કે આ લેકને કેાઈ પરમાણુપુદ્ગલપ્રમાણ પ્રદેશ પણ એ નથી કે જ્યાં આ જીવ ઉત્પન્ન થયે ન હોય અને મર્યો પણ ન હોય. સૂ૦૧ જીવોં કી ઉત્પતી કા નિરૂપણ -છત્પત્તિ વિષયક વક્તવ્યતા– “ જો મંતે ! પુવકો ગાયો” ઈત્યાદિ ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા લેકના સ્વરૂપની અન્ય પ્રકારે પ્રરૂપણા કરી છે ગૌતમ સ્વામી આ વિષયને અનુલક્ષીને મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“જરૂi મતે ! પુકવીનો પારો હે ભગવન્! પૃથ્વીએ કેટલી કહી છે? મહાવીર પ્રભુને ઉત્તર-“રોચમા ! સત્ત ગુઢવી. Hvorત્તા” હે ગૌતમ ! પૃથ્વીઓ સાત કહી છે. “કા પઢનાર પંરમ વરણ તહેવ માવાણા વિશ્વા” પહેલા શતકના પાંચમાં ઉદ્દેશકમાં જે પ્રકારે રતનપ્રભા આદિ નારકાવાનું, ભવનપતિ, વાતવ્યન્તર, જયોતિષિક, વૈમાનિક, નવગ્રેવેયક, અને વિજય–જ. યન્ત-જયન્ત-અપરાજિત અને સર્વાર્થસિદ્ધ, આ પાંચ અનુત્તર વિમાને પર્ય. તના આવાસનું વર્ણન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે અહીં પણ તે આવાસોનું કથન કરવું જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ७४
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy