SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અને પુરુષકારપરાક્રમ કેટલાં વર્ણવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને કેટલા પશેવાળાં છે? (ઉત્થાન એટલે ઊભા થવું તે, બળ એટલે શારીરિક સામર્થ્ય વીર્ય એટલે આત્મિકબળ, પુરુષકાર પરાક્રમ એટલે અભિમાન વિશેષરૂપે પુરુષકાર તથા પિતાના વિષયમાં સફળતા દેનારો પુરુષાર્થ.) મહાવીર પ્રભુને ઉત્તર–“સંત નવ મારે ” હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે ઉત્થાન આદિને પણ વર્ણરહિત, ગંધરહિત, રસરહિત અને સ્પશરહિત કહ્યા છે. કારણ કે ઉત્થાન આદિ પાંચે જીવનાધમ રૂપ છે, તે કારણે અમૂર્ત હોવાને કારણે વર્ણાદિ ગુણોથી રહિત હોય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સત્તમેળે મને ! વાસંતરે વળે?” હે ભગવાન ! સાતમી નરકપૃથ્વીની નીચેનું આકાશખંડ રૂપ અવકાશાતર કેટલાં વર્ણોવાળું, કેટલા ગંધવાળું, કેટલા રસવાળું અને કેટલા પૌંવાળું છે? મહાવીર પ્રભુને ઉત્તર-“સ્વયં સેવ નાવ માટે પરે” હે ગૌતમ! સાતમી નરકપૃથ્વીની નીચેનું અવકાશાન્તર પણ પૂર્વોકત પ્રકારે વર્ણ વિનાનું, ગંધ વિનાનું, રસ વિનાનું અને સ્પર્શ વિનાનું કહ્યું છે. તે અવકાશાન્તર અમૂર્ત હોવાને કારણે તેને વર્ણાદિ વિનાનું કહ્યું છે. આ અવકાશાન્તરના સ્થાનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– પહેલી નરક પૃથ્વી અને બીજી તરફ પૃથ્વીની વચ્ચે જે અન્તરાલ રૂપ આકાશખંડ છે તેને પ્રથમ અવકાશાન્તર કહે છે. આ પ્રકારે વિચાર કરતાં, સાતમી નરક પૃથ્વીની નીચેને જે આકાશખંડ છે તેને સાતમું અવકાશાન્તર કહે છે, તેની ઉપર સાતમું તનુવાત છે સાતમાં તનુવાતની ઉપર સાતમું ઘનવાત છે. સાતમા ઘનવાતની ઉપર સાતમે ઘનેદધિ છે. અને સાતમા ઘનેદધિની ઉપર સાતમી નારક પૃથ્વી છે. આ સાતમી નારક પૃથ્વીની નીચેના આકાશખંડ રૂપ છે અવકાશાન્તર છે તે અમૂર્ત હોવાને કારણે તેને વર્ણાદિક ગુણોથી રહિત કહ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પરમેળ મતે ! તyવાણ રૂ વળે??” હે ભગવન! સાતમે જે તનુવાત છે, તે કેટલાં વર્ષોવાળે છે? કેટલા ગધેવાળો છે? કેટલા રસવાળે છે? કેટલા સ્પર્શેવાળે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“s Hiાફરાણ નવાં શરૃ જાણે પuત્તે ” હે ગૌતમ! સાતમે તનુવાત, પ્રાણાતિપાત પરિણત કર્મપુલની જેમ, પાંચ વર્ણોવાળે, બે ગધેવાળે અને પાંચ રવાળો કહ્યો છે. પરંતુ પ્રાણાતિપાત પરિણત કમપુલની જેમ તે ચાર સ્પર્શેવાળે નથી પણ આઠ સ્પર્શીવાળા છે. તે આઠ સ્પર્શોનાં નામ નીચે પ્રમાણે છે-હલકે, ભારે, સ્નિગ્ધ, રૂક્ષ, ઉષ્ણુ, શીત, કઠણ અને નરમ તનુવાત આદિ બાદર પરિણામવાળાં હોય છે, તે કારણે ત્યાં આઠ સ્પર્શીને સદ્દભાવ સંભવી શકે છે. એ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે-“ના સત્તને તyવાણ તણા સત્તને ઘાવાદ ઘળોહી, પુત્રવી” જે પ્રકારે સાતમા તનુવાતના વિષયમાં વર્ણાદિનુ. શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૫૧.
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy